Monday, May 4, 2026

ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત

spot_img
Share

અમદાવદ : કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ હકીકત એ છે કે રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. આવાં જ બુટલેગરને લીધે રાજ્યને એક હોનહાર PSIને ગુમાવવાનો વારો આવ્યો છે. રોડ બ્લોક કરીને ઉભેલા PSI પર ટ્રક ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં PSI જે.એમ.પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે SMCના IG નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમદાવાદના જુહાપુરામાં રહેતા અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC માં ફરજ બજાવતા PSI જે. એમ. પઠાણને દારૂની હેરફેરની બાતમી મળી હતી. SMC ટીમના PSI જે એમ પઠાણ આજે 5 નવેમ્બરના રોજ મોડી રાતે 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે પહોંચ્યા હતા. તેઓને બાતમી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા ગાડી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ SMC ની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઈ ન હતી. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેની લાઈટ જોઈ PSI જેએમ પઠાણ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાયા હતા. તો આ સાથે જ ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયો હતો. આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા PSI પઠાણ ટેલરની પાછળના ભાગે ભટકાયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત જેએમ પઠાણને પ્રથમ દસાડા PHC સેન્ટર પર અને ત્યાર બાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં દિનેશ રાવત અને કૃષ્ણદેવસુંહ જાડેજા પણ ઈજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે.

આ તરફ. PSIના આકસ્મિક મોતથી પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. સમગ્ર મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે PSIને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતે એક કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા છે.

આ પછી PSIના અકસ્માતની તપાસ માટે આઠ ટીમો બનાવાઈ છે. અકસ્માત સર્જનાર ટ્રેલર અને બુટલેગરની કાર શોધવા માટે અલગ અલગ ટીમોને જવાબદારી સોંપાઈ છે. સુરેન્દ્રનગર DYSP ના નેતૃત્વ માં 8 ટીમો બનાવાઈ છે. ઘટનાસ્થળની આસપાસના 70 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરાઈ રહ્યા છે. દસાડા અને પાટડીના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટની પણ તપાસ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...