Friday, November 28, 2025

હાઉસિંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ દરમ્યાન ચીટર ગેંગથી રહીશો અને હોદ્દેદારો થઈ જાઓ સાવધાન…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અને એમાંય ખાસ કરીને નારણપુરા વિસ્તારમાં રિડેવલપમેન્ટના કાર્યમાં ખાસ્સી એવી તેજી આવી છે, છેલ્લાં કેટલાંક સમયથી નારણપુરા અને સોલા વિસ્તારમાં આવેલ હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ પણ સરકારની રિડેવલપમેન્ટ પોલીસીમાં જાેડાઈ ચુકી છે જેમાં 12 જેટલી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જયારે 10થી વધુ સોસાયટીઓની ટેન્ડરો પડી ચુકયા છે. જયારે અનેક સોસાયટીઓના સંમતિઓ લેવાના સહિતના કામકાજ પાઈપલાઈનમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કેટલાંક લેભાગુ તત્વો આ રિડેવલપમેન્ટમાં મોટો માલ કમાવવાની આશાએ સોસાયટીના રિડેવલપમેન્ટના કામમાં રોડા નાંખી યેનકેન પ્રકારે અટકાવવાના પ્રયાસ કરતા હોવાની ચર્ચા ઉઠી છે.

એક ચર્ચા મુજબ નારણપુરામાં પાંચ થી આઠ સોસાયટીઓ રિડેવપમેન્ટમાં જાેડાઈને ડીમોલીશ થઈ ચુકી છે અથવા તો તૈયારીમાં છે, જયારે ચાર થી પાંચ જેટલી સોસાયટીઓ ત્રિપક્ષીય કરારના અંતિમ તબક્કામાં છે, જયારે બીજી અનેક સોસાયટીઓના ટેન્ડરો ચાલી રહ્યા છે. જયારે બીજી અનેક સોસાયટીઓમાં સહમતિની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે નારણપુરામાં બે-ચાર સોસાયટીઓમાં કેટલાંક લેભાગુ તત્વોએ પગપેસારો કરીને રિડેવલપમેન્ટમાં મોટો મામલ કમાવવાની આશાએ જયાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં નાના મોટા મકાનો બીજાના નામે ખરીદી લે છે અને જ્યારે રિડેવલપમેન્ટમાં ટેન્ડર ખૂલે અને ડેવલપર આવે એટલે આવા લેભાગુ તત્વો રિડેવલપમેન્ટના કાર્યમાં વિટંમણાઓ ઉભી કરે છે. હાઉસિંગના નિયમો અને કાયદાના જાણકાર હોવાનો હાઉ ઉભો કરીને, સોસાયટીના સ્થાનિક ભોળા લોકોને ખોટા વચનો કે ડર બતાવી કાગળિયાંની સાચી ખોટી માયાજાળ રચી પ્રોજેક્ટને ખોરંભે ચડાવવાનો પ્રયત્ન કરતા હોવાની ચર્ચા ઉઠી છે.

એક સ્થાનિકની ફરિયાદ મુજબ આવા લેભાગુ તત્વો કે જેમનો મૂળ ઉદ્દેશ્ય હાઉસીંગના અધિકારીઓને નોકરી બાબતે ડરાવવા અને બિલ્ડરને પ્રોજેક્ટ ડીલેય કરાવવાની મોડેસ ઓપરેન્ડીશ કરી બિલ્ડર અને હાઉસિંગના અધિકારીઓના તોડપાની કરી મસમોટા રૂપિયા પડાવવાનો હોય છે અને આવા રૂપિયા થકી આવી બીજી સોસાયટીમાં મકાનો ખરીદી આ જ પ્રકારની મોડસ આપરેન્ડીશ મુજબ નવી સોસાયટીમાં પ્રેક્ટિસ ચાલુ રાખવી.જ્યારે વાતાવરણ ડોહળાય ત્યારબાદ તે ગેંગના જ કોઈ એક બે સભ્ય સમાધાન ફોમ્ર્યુલા સાથે આગળ આવે અને પ્રોજેક્ટને સફળ બનાવવાની અને વિરોધી ટોળકીને સમજાવવાની વગેરે મીઠી મીઠી વાતો કરી યોજનાને આખરી ઓપ અપાય તેવી વ્યૂહ રચના ગોઠવે છે.

તમને જણાવી દઈએ કે 300 લોકોની સોસાયટીમાં આવા બે-ચાર લેભાગુ તત્વોને કારણે રિડેવલપમેન્ટ પ્રોજેકેટ લંબાઈ જાય છે જેને કારણે આખરે સ્થાનિક અને નિર્દાેષ પ્રજાએ આખરે ભોગવવાનું આવે છે જેથી સૌ લોકોએ આવા લેભાગું તત્વોને ઓળખી કાઢી, આવા લોકોેને જાહેરમાં ઉઘાડા પાડવા જાેઈયે. આવા તત્વોને મહત્વ મળે નહિ તો તેઓ 25% માં આવી જશે અને કાયદાનો સરકારી કોરડો જરુર પડશે.હાઉસીંગ બોર્ડે પણ આવા તત્વોને અલગ તારવીને આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...