Thursday, March 12, 2026

વાહનચાલક માટે ઉપયોગી માહિતી, આ રીતે કેન્સલ કરાવો ખોટી રીતે આવેલો ઈ-મેમો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પોલીસ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પર આકરા પગલા લઈ રહી છે. હવે તો સીસીટીવી કેમેરાની બાજ નજરમાં નિયમો તોડનારા કેદ થઈ જાય છે, એટલું સીધું ઈ-ચલાણ ઘરે આવી જાય. પરંતું કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે, નિયમોનો ભંગ ન કર્યો હોય છતાં ઈ-મેમો ઘરે પહોંચી જાય છે. આવામાં ખોટો ઈ-મેમો આવી જાય તો શું કરવાનું. તેનો પણ ઉપાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ખોટી રીતે આવી જતા ઈ-ચલાણ પર શું કરવું તેનું સોલ્યુશન આપ્યું છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવેલા ઇ-ચલણને કેવી રીતે રદ કરવું તે જણાવવામાં આવ્યું છે. સાથે જ પોલીસે જણાવ્યું કે, Technical અથવા Human error ના લીધે જો આપને લાગે છે કે આપને ખોટું ઈ-ચલણ મળેલ છે તો આપ વીડિયોમાં દર્શાવ્યા મુજબ આપનું ઈ-ચલણ રદ કરાવી શકો છો. ટેકનિકલ અથવા માનવીય ભૂલને લીધે મળતાં ખોટા ઈ-ચલણથી રાહત મળી શકે છે.

જો ઇ-મેમો કોઇ કારણસર ખોટો આવ્યો તો તમે આ મામલે ફરિયાદ પણ કરી શકો છો. ઈ-મેલ પર વાહનચાલકો આ મામલે ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ csitms-ahd.@gujarat.gov. in ઈ- મેઇલ પર થશે. જો કોઈ વ્યક્તિ ઇ-મેઇલ કરવામાં આ અસક્ષમ હોય તો અમદાવાદ ટ્રાફિક પોલીસ કચેરીએ રૂબરૂમાં જઈને લેખિતમાં અરજી કરવાની રહેશે.

જો પોલીસની ભૂલ હશે તો તેને પણ સુધારી શકાશે. હવે તમારાથી કોઈ ચૂક થશે તો આપ જરૂરથી આ મેમોથી નહીં બચી શકો, પરંતુ જો ખોટો મેમો આવશે તો તેનાથી ગભરાવાની જગ્યાએ ઈમેલ અથવા રૂબરૂમાં લેખિત અરજી કરવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...