Monday, May 4, 2026

બાબાસાહેબની પ્રતિમા ખંડિત મામલે ખોખરા બંધ : લોકોનાં ધાડેધાડાં રોડ પર, ભાજપ-કોંગ્રેસે પોલીસ કમિશનરને કરી રજૂઆત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે (24મી ડિસેમ્બર) ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ખોખરામાં આંબેડરની પ્રતિમાને ખંડિત કર્યાના મામલે રાજકારણ ગરમાયું છે. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઘટના બની ત્યારથી ધરણા ધર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તો આ મામલે હવે રાજકારણ ગરમાયુ છે.

ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થયાને 24 કલાકથી વધુનો સમય વિતી ગયો.. અને આગેવાનોએ આપેલા સમયની મર્યાદા પૂર્ણ થતાં જ, ધીરજથી વિરોધ કરવાની મર્યાદા પણ ઓળંગી દેવાઈ.. ખોખરા બંધનું એલાન આપી દેવાયું.. જો કે, બપોર થતાં તો આ બંધને મિશ્ર પ્રતિસાદ જ મળ્યો હતો.. દરમિયાન રસ્તા પર બેનરો સાથે.. સૂત્રોચ્ચાર બોલવતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા..સ્થાનિકોએ આરોપીને પકડવાની માગ યથાવત્ રાખી..

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપનું વણલ ડો.બાબાસાહેબ આંબેડકરની વિરોધી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ નવી મૂર્તિ સ્થાપિત કરી ઝડપથી આરોપીને પકડવાની માગ કરવામાં આવી છે. તો આ મામલે કોંગ્રેસ-ભાજપના નેતાઓએ પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. ભાજપના સાંસદ દિનેશ મકવાણા, દર્શના વાઘેલા, અમિત ઠાકરે પણ રજૂઆત કરી છે. આ સાથે આરોપીઓને ઝડપથી પકડવા માગ કરી છે.

જયંતિ વકીલની ચાલીના સ્થાનિકોની માગ છે કે અમદાવાદ શહેરમાં જ્યાં પણ ડો. બાબા સાહેબ આંબેડકર અને મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, ત્યાં સીસીટીવી લગાવવામાં આવે.જ્યાં પણ આવા પ્રતિમાઓ લગાવવામાં આવેલી છે તે તમામ જગ્યાએ પોલીસ પોઇન્ટ મૂકવામાં આવે.ડો. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે.આરોપીનું કમિશનર ઓફિસ સુધી સરઘસ કાઢવામાં આવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...