Monday, May 4, 2026

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે 250થી વધુ લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સરળતાથી પોતાનું મકાન મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવે છે. જે યોજનાં હેઠળ મકાન લેવા ઈચ્છુત વ્યક્તિ જરૂરી પ્રક્રિયા કરી મકાન મેળવે છે પરંતુ આવા જ ઈચ્છુક લોકોને પોતાની વાતોમાં ફસાવી લાખો રૂપિયા મેળવી ઠગાઈ આચરવામાં આવી છે. જે મામલે ઝોન 1 વિસ્તારમાં વસ્ત્રાપુર, સોલા અને નારણપુરામા 3 ફરિયાદ નોંધાઈ હતી. જોકે ઝોન 1 એલસીબીની ટીમે આરોપીને પકડી પાડ્યો છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનું જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી 250 થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો છે. આ મામલે વિરમસિંહ રાઠોડ નામનાં આરોપીની ઝોન 1 એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનુ જણાવી ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો અપાવાની લાલચ આપી હતી. તેણે વસ્ત્રાપુર, નારણપુરા અને સોલા વિસ્તારનાં લોકોને આ રીતે છેતર્યા હતા.આ મામલે કુલ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આરોપીએ કુલ 3 કરોડથી વધુ રકમ લોકો પાસેથી આ રીતે મેળવી છે. ઝડપાયેલા આરોપીએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે જીપીએસસીની તૈયારી કરતો હતો જે દરમિયાન તેને આ રીતે લોકો સાથે ઠગાઈ કરવાનો વિચાર આવ્યો અને છેલ્લાં 3 વર્ષમાં અનેક લોકો પાસેથી પૈસા પડાવી લીધા.

ઝડપાયેલો આરોપી રાતોરાત કરોડપતિ જોવાના સપના જોતો હતો જેનાં કારણે તેણે આ રીતે પૈસા મેળવવાનું શરૂ કર્યુ અને પોતાની નીચે માણસો રાખી મકાન મેળવવા ઈચ્છતા લોકોને લાવી તેનાં દ્વારા અપાતી રકમમાંથી એજન્ટોને કમિશન પણ આપતો હતો. વધુમાં તે ભોગ બનનારાઓને બોગસ પઝેશન લેટર પણ આપી વિશ્વાસમાં લેતો હતો. અનેક કેસમાં તે ભોગ બનનારને મકાન નહી લાગે તો રૂપિયા પરત આપી દેશે તેવી વાતો કરતો હતો.

આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેણે 250 થી વધુ ભોગ બનનારાઓ પાસેથી મેળવેલા 3 કરોડ રૂપિયામાંથી 50 થી 60 લાખ રૂપિયા એજન્ટોને કમિશન આપ્યું છે. તેણે આ સમયગાળા દરમિયાન 3 અલગ અલગ વેપાર કર્યા હતા. જેમાં તેણે ફૂડ સ્ટોલમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું પણ તેમાં સફળ ન થતા બંધ કરી નાખ્યું અને બાદમાં ગૃહ ઉદ્યોગ અને શેર બજારમાં પણ રોકાણ કર્યું પરતુ તમામ ધંધામાં તે નિષ્ફળ ગયો હતો.

આરોપીએ ભોગ બનનારાઓને સાયન્સ સિટી જેવા પોશ વિસ્તારમાં બનતા AUDAનાં મકાનો બતાવ્યા હતા અને રૂપિયા મેળવ્યા હતા. આ મામલે ઝોન-1 એલસીબીની ટીમે આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...