Friday, November 28, 2025

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, આ 5 કામ જેના માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

spot_img
Share

નવી દિલ્હી : પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે સાંજે બગડતી તબિયતના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતના 14મા વડાપ્રધાન મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારાના પિતા માનવામાં આવે છે. PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, મનમોહન સિંહના નિધનથી દેશ દુઃખી છે. ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક હતા.દેશની પ્રગતિમાં મનમોહન સિંહનું અતુલ્ય યોગદાન રહ્યું છે.

શિક્ષણનો અધિકાર કાનૂન (2009)
ડો. સિંહની સરકારે દરેક 6થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપ્યો. આ કાયદો બાળકોને તેમના મૌલિક અધિકાર આપવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થયો.

માહિતીનો અધિકાર (2005)
આ કાયદાએ દરેક ભારતીય નાગરિકને સરકારી માહિતી સુધી પહોંચવાનો હક આપ્યો, જેનાથી પારદર્શિતા અને જવાબદારી પાક્કી કરી.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (2013)
આ કાયદા દ્વારા દેશના 2/3 પરિવારોને સસ્તા દરે ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. આ પગલાથી ગરીબી રેખાથી નીચે જીવતા દરેક પરિવાર માટે વરદાનરૂપ સાબિત થયું.

ભૂમિ અધિગ્રહણ કાયદો (2013)
વિકાસ પ્રોજેક્ટ માટે ભૂમિ અધિગ્રહણ કરવા પર પ્રભાવિત લોકોને યોગ્ય વળતરની ખાતરી આપવામાં આવી.

વન અધિકાર કાયદો (2006)
આદિવાસી સમુદાયને તેમના પરંપરાગત ભૂમિ અધિકાર પાછા અપાવવા માટે ઐતિહાસિક પગલું હતું.

મનરેગા (2005)
ડો. સિંહની સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ લાગુ કર્યો, જેણે દરેક ગ્રામીણ પરિવારને વર્ષમાં 100 દિવસના રોજગારનો અધિકાર આપ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...