Tuesday, October 14, 2025

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, આ 5 કામ જેના માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે

Share

નવી દિલ્હી : પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે સાંજે બગડતી તબિયતના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતના 14મા વડાપ્રધાન મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારાના પિતા માનવામાં આવે છે. PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, મનમોહન સિંહના નિધનથી દેશ દુઃખી છે. ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક હતા.દેશની પ્રગતિમાં મનમોહન સિંહનું અતુલ્ય યોગદાન રહ્યું છે.

શિક્ષણનો અધિકાર કાનૂન (2009)
ડો. સિંહની સરકારે દરેક 6થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપ્યો. આ કાયદો બાળકોને તેમના મૌલિક અધિકાર આપવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થયો.

માહિતીનો અધિકાર (2005)
આ કાયદાએ દરેક ભારતીય નાગરિકને સરકારી માહિતી સુધી પહોંચવાનો હક આપ્યો, જેનાથી પારદર્શિતા અને જવાબદારી પાક્કી કરી.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (2013)
આ કાયદા દ્વારા દેશના 2/3 પરિવારોને સસ્તા દરે ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. આ પગલાથી ગરીબી રેખાથી નીચે જીવતા દરેક પરિવાર માટે વરદાનરૂપ સાબિત થયું.

ભૂમિ અધિગ્રહણ કાયદો (2013)
વિકાસ પ્રોજેક્ટ માટે ભૂમિ અધિગ્રહણ કરવા પર પ્રભાવિત લોકોને યોગ્ય વળતરની ખાતરી આપવામાં આવી.

વન અધિકાર કાયદો (2006)
આદિવાસી સમુદાયને તેમના પરંપરાગત ભૂમિ અધિકાર પાછા અપાવવા માટે ઐતિહાસિક પગલું હતું.

મનરેગા (2005)
ડો. સિંહની સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ લાગુ કર્યો, જેણે દરેક ગ્રામીણ પરિવારને વર્ષમાં 100 દિવસના રોજગારનો અધિકાર આપ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...