Monday, September 15, 2025

GST સ્લેબમાં મોટા ફેરફાર, કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ મોંઘી!

Share

Share

નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બુધવારે યોજાઈ. આ બેઠક આ વખતે નવી દિલ્હીમાં આયોજિત થઈ. આ બેઠક દરમિયાન જીએસટી સ્લેબ અને જીએસટી રેટને (GST Rate Cut)લઈને મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય અંગે જાણકારી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે આ ખાલી જીએસટીમાં સુધારો નથી, પણ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ અને લોકોના જીવનને સરળ બનાવવાની દિશામાં ઉઠાવેલું પગલું છે. રોજિંદા ઉપયોગમાં લેવાતા સામાન પર જીએસટી દરોમાં કાપ મુકાયો છે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે 12% અને 28% જીએસટી સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. ચાલો હવે જાણીએ કે કઇ વસ્તુઓ સસ્તી થશે અને કઇ વસ્તુઓ મોંઘી થશે

દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ થશે સસ્તી

  • હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%
  • માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%
  • પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%
  • વાસણો 12% થી 5%
  • ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%
  • સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5%
  • આરોગ્ય ક્ષેત્રે રાહત

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય

  • થર્મોમીટર 18% થી 5%
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%
  • ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%
  • ચશ્મા 12% થી 5%

સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

  • નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય
  • પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય
  • પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય
  • ઇરેઝર 5% થી શૂન્ય
  • ખેડૂતોને રાહત

ટ્રેક્ટર 12% થી 5%

  • ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%
  • જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%
  • જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5%

વાહનો થશે સસ્તા

  • પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%
  • 350 CC સુધીના બાઇક 28% થી 18%
  • માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%

ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો

  • એર કંડિશનર 28% થી 18%
  • 32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%
  • મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%
  • ડીશ વોશિંગ મશીન 28% થી 18%

શું મોંઘું થયું?

લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રીંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...