Wednesday, March 11, 2026

પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢીને અપમાનિત કરવાની કાર્યવાહી અટકાવો : હાઇકોર્ટમાં પીટીશન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન રિટ અરજી દાખલ કરવામાં આવી છે. આરોપીઓનું ખોટી રીતે સરઘસ નહી કાઢવા અંગે હાઈકોર્ટ દ્વારા અગાઉ જારી નિર્દેશો અને સુપ્રીમકોર્ટે ડી.કે.બાસુના કેસમાં જારી કરેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ થઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં કેટલાક માથાભારે લોકોની સામે ફોજદારી ફરિયાદ દાખલ કર્યા બાદ તેમનું સરઘસ કાઢવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી.અરજદારે આવી રીતે આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં અપમાનિત કરીને સુપ્રીમ કોર્ટના ડી.કે.બાસુના કેસમાં આપેલા ચુકાદાઓનો ભંગ થતો હોવાનો અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં અપાયેલા ચુકાદા બાદ આવું કૃત્ય નહિ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડક અમલ થવો જોઇએ તેવી માગણી કરી છે. આ કેસની સુનાવણી 5 ફેબ્રુઆરીનો રોજ હાથ ધરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાજકોટમાં રહેતા વેપારી પ્રતિક ચંદારાણાં મારફતે આ જાહેર હિતની અરજી ગત મહિને ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગત ડિસેમ્બર મહિનામાં તેમની વિરૂધ્ધ રાજકોટના ’બી’ ડિવીઝન પોલીસ સ્ટેશન અને ત્યારબાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓને માર મારવાની, ધમકી આપવા સહિતની અલગ-અલગ બે ફરિયાદો નોંધવામા આવી છે. તેઓ પત્રકાર તરીકે કામ કરતા હોવાથી તે બાબતનો દ્વેષભાવ રાખીને અગાઉ પણ તેમની સામે ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે.

તેઓને આવી માહિતી મળી છે કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, માથાભારે ગુનેગારોમાં કાયદાનો ભય ફેલાવવા તેમજ લોકોને સુરક્ષાની લાગણીનો અનુભવ થાય તે માટે કોઇ માથાભારે આરોપી પકડાય તો તેનું જાહેરમાં સરઘસ કાઢવું. આ બાબતે વિવિધ મિડીયામાં સમાચાર પણ પ્રકાશિત થયા છે.

આથી તેઓને પણ દહેશત છે કે પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢીને અપમાનિત કરવામાં આવશે. અગાઉ રાજકોટમાં એક આરોપીનું સરઘસ કાઢીને માર મારવાના કેસમાં એક પિટિશન થઇ હતી અને તેમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. તે ચુકાદા મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા ડી. કે. બાસુના કેસના ચુકાદામાં કસ્ટડીમાં રહેલા આરોપીઓની સુરક્ષા માટે જે પણ માર્ગદર્શીકા ઘડવામાં આવી છે.

તેનો કડક અમલ કરવાનો આદેશ કરાયો હતો. તે મુજબ પોલીસ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ દ્વારા જાહેરનામુ બહાર પાડીને દરેક પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યું છે. આથી તેમની સાથે પણ પોલીસ ગેરવર્તન કરે નહી અને સરઘસ કાઢે નહી તે માટેનો આદેશ કરવો જોઇએ. બીજું કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...