Saturday, November 8, 2025

અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની બોલી રજૂ કરાઈ

spot_img
Share

નવી દિલ્હી : ભારતે વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે વિધિવત રીતે દાવેદારી રજૂ કરી હતી. દાવેદારી રજૂ કરવા માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે દાવેદારી કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતે ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે, એમ રમતગમત મંત્રાલયના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું. ગેમ્સનું આયોજન કરવા માટે `ઈચ્છા વ્યક્ત’ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી અને ભારતનો પત્ર થોડા દિવસો પહેલાં ભારતીય ઓલિમ્પિક એસોસીએશન દ્વારા મોકલવામાં આવ્યો હતો.

ભારતની બોલી આઈઓએ અને ગુજરાત રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે,’ એમ સૂત્રએ જણાવ્યું હતું. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ રમતોનું આયોજન કરવામાં રસ ધરાવે છે. ભારતે છેલ્લે 2010માં સીડબલ્યુજીનું આયોજન કર્યું હતું. તે 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

2035 ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી પ્રબળ છે, તેથી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ અમદાવાદને મળે તેવી સંભાવના છે. ભારતે દાવેદરી રજૂ કર્યા બાદ કોમનવેલ્થ સ્પોર્ટ તમામ દાવેદારી ચકાસવાની પ્રક્રિયા કરશે. આ પછી સીજીએફની સામાન્ય સભામાં યજમાન દેશ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભારતે 2010માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ સંભાળ્યું હતું. તે સમયે ભારતે 100 મેડલ જીત્યા હતા. જે કોમનવેલ્ષ ગેમ્સમાં અત્યાર સુધીનું ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત 1951 અને 1982 એમ બે વખત એશિયન ગેમ્સની યજમાની કરી ચૂક્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...