Friday, October 3, 2025

અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની બોલી રજૂ કરાઈ

Share

નવી દિલ્હી : ભારતે વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે વિધિવત રીતે દાવેદારી રજૂ કરી હતી. દાવેદારી રજૂ કરવા માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે દાવેદારી કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતે ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે, એમ રમતગમત મંત્રાલયના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું. ગેમ્સનું આયોજન કરવા માટે `ઈચ્છા વ્યક્ત’ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી અને ભારતનો પત્ર થોડા દિવસો પહેલાં ભારતીય ઓલિમ્પિક એસોસીએશન દ્વારા મોકલવામાં આવ્યો હતો.

ભારતની બોલી આઈઓએ અને ગુજરાત રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે,’ એમ સૂત્રએ જણાવ્યું હતું. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ રમતોનું આયોજન કરવામાં રસ ધરાવે છે. ભારતે છેલ્લે 2010માં સીડબલ્યુજીનું આયોજન કર્યું હતું. તે 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

2035 ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી પ્રબળ છે, તેથી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ અમદાવાદને મળે તેવી સંભાવના છે. ભારતે દાવેદરી રજૂ કર્યા બાદ કોમનવેલ્થ સ્પોર્ટ તમામ દાવેદારી ચકાસવાની પ્રક્રિયા કરશે. આ પછી સીજીએફની સામાન્ય સભામાં યજમાન દેશ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભારતે 2010માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ સંભાળ્યું હતું. તે સમયે ભારતે 100 મેડલ જીત્યા હતા. જે કોમનવેલ્ષ ગેમ્સમાં અત્યાર સુધીનું ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત 1951 અને 1982 એમ બે વખત એશિયન ગેમ્સની યજમાની કરી ચૂક્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...