Tuesday, October 14, 2025

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો કરાયો વધારો, આવતીકાલથી નવી કિંમત લાગુ

Share

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 9 માર્ચ 2024ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ખાસ વાત એ છે કે માર્ચ 2023 પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે.

મીડિયાને સંબોધતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે અને અહીં ભાવ ઘટી રહ્યા છે. અમે નિર્ણય લીધો છે કે LPGના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણે રસોઈ ગેસના મામલે ઘણી પ્રગતિ કરી છે અને હવે આપણી પાસે ઉજ્જવલા યોજના પણ છે, જેના 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે. તેમણે કહ્યું કે આજે આપણા ભાઈ-બહેનોને લાકડા, ગાયના છાણ અને અન્ય વસ્તુઓથી આઝાદી મળી છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ, ગરીબ મહિલાઓને મફત LPG સિલિન્ડર આપવામાં આવે છે જેથી તેઓ સ્વચ્છ રસોઈ બળતણ એટલે કે LPG મેળવી શકે.

એક વર્ષ પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 9 માર્ચ 2024 ના રોજ જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે પહેલાં, 30 ઓગસ્ટ, 2023 ના રોજ, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર થયો હતો. હવે પાછો રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...