Tuesday, June 23, 2026

નારણપુરામાં પલ્લવ બ્રિજ તૈયાર, અખબારનગરથી વાસણા માત્ર 20 મિનિટમાં પહોંચાશે, 1 લાખ વાહનચાલકોને મળશે રાહત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર બે જંક્નશને આવરી લેતો પલ્લવ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મે મહિનામાં આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસ માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજ તૈયાર થઈ જતાં 1 લાખથી વધુ વાહનચાલકોએ આ બે જંક્શન પર ટ્રાફિકમાં ઊભા રહેવું નહીં પડે.પલ્લવ બ્રિજ તૈયાર થવાના કારણે 1 લાખથી વધુ લોકોએ બે જંક્શન પર ઊભા રહેવુ પડશે નહીં અને લીધા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં પલ્લવ બ્રિજ તૈયાર તો થઈ ચૂક્યો છે, પરંતુ હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસવા માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજની મજબૂતાઈ ચકાસવા 300 ટન વજનના 10 ટ્રક લોડ કરી ઊભા રાખવામાં આવ્યા હતા. આ બ્રિજ પર લોડ ટેસ્ટ સ્પાન માટે 10 જેટલી ટ્રક ઉભી રાખવામાં આવી છે. 24 કલાક સુધી આ ટ્રક ઉભી રહેશે જે બાદ બ્રિજની ક્ષમતા તેમજ તેના સ્પાનની ચકાસણી કરાશે. જે 18 એપ્રિલ સુધી ચાલશે. હવે ટેસ્ટિંગનું કામ પૂર્ણ થયા બાદ મેમાં પલ્લવ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુકાશે.

40 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બનાવનારા અજય ઈન્ફ્રાકોનને પલ્લવ ફલાય ઓવરબ્રિજ બનાવવા કામગીરી અપાઈ હતી.પલ્લવ અને પ્રગતિનગર જંકશન ઉપર કુલ 935 મીટર ઘાટલોડીયા તરફ અને 931 મીટર અંકુર તરફ લંબાઈમાં ફોરલેન સ્પલીટ ફલાય ઓવરબ્રિજ ના સુપર સ્ટ્રકચરની કામગીરી પુરી કરાઈ છે.

હાટકેશ્વરનો માટીપગો બ્રિજ બનાવનારી કંપની વિવાદમાં સપડાતા પલ્લવ બ્રિજનું કામ 8 મહિના સુધી અટક્યું હતું. હાલમાં અન્ડરસ્પેસ તેમજ બ્રિજના ફિનિશિંગની કામગીરી ચાલી રહી છે. લગભગ 8 મહિના સુધી આ કામગીરી રોકી અન્ય નવા કોન્ટ્રાક્ટર માટે પ્રયત્નો કરાયા હતા. જોકે બાદમાં ફરીથી અજય ઈન્ફ્રાને જ બાકીની કામગીરી પૂર્ણ કરવા માટે જવાબદારી અપાઈ હતી.

હવે બીજો બ્રિજ અંધજન મંડળ ખાતે બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. અંધજન મંડળ ખાતે બનેલા બ્રિજની ઉપરથી બીજો ડબલડેકર બ્રિજ બનાવવાની દિશામાં વિચારણા હાથ ધરાઈ રહી છે. તે માટે જરૂરી ચકાસણી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...