Friday, November 28, 2025

રીડેવલપમેન્ટ : અમદાવાદીઓ માટે વરદાન, ડેવલપર્સ હવે રીડેવલપર્સ બન્યા

spot_img
Share

અમદાવાદ : શહેરની તાસીર હંમેશાં બદલાતી રહે છે. હવે એક બાજુ દિવસે-દિવસે વધુ ને વધુ ઊંચી ઇમારતો તૈયાર થઈ રહી છે અને બીજી બાજુ ઘણી મોટી સંખ્યામાં ઇમારતો જૂની થઈ રહી છે. વળી, સારી નોકરીઓ, બહેતર વ્યવસાયની તકો અને વિશ્વના અન્ય કોઈ પણ શહેર જેવા આધુનિક જીવનની શોધમાં સમગ્ર દેશમાંથી પરિવારોના સતત ધસારાને કારણે રહેણાક જગ્યાની માગ સતત વધતી જાય છે. અમદાવાદમાં વસ્તી વધતા છેલ્લાં ૪૦ વર્ષોમાં વધુ રહેણાક અને વ્યાપારી બન્ને પ્રકારનાં મકાનોના બાંધકામની માગ વધતી ગઈ છે.

એકબાજુ અમદાવાદ શહેરની મોટાભાગની મિલ્કતો 30 થી 40 વર્ષ જૂની થઇ છે, બીજી બાજુ નવા બાંધકામ માટે નજીકમાં વધુ જમીન બાકી નહીં હોવાથી અને છેલ્લા પાંચ દાયકામાં સતત જૂની થતી જવાને કારણે શહેરના મોટા ભાગોમાં જૂની ઇમારતો જર્જરિત થવા લાગી છે. આવામાં એ જૂનાં બાંધકામ તોડીને તેમને ફરીથી વિકસાવવા સિવાય બીજાે કોઈ વિકલ્પ હવે બચ્યો નથી.

આથી અમદાવાદમાં પણ ભારતના અન્ય મોટા શહેરની જેમ રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સમગ્ર અમદાવાદમાં આ ચલણ છે, જેના માટે સતત સાનુકૂળ સંજાેગો આકાર લઈ રહ્યા છે. જગ્યાની સતત માગ સાથે-સાથે આવનાર સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં કોમનવેલ્થ અને ઓલમ્પિકમાં યજમાની અને વિશ્વનાં શ્રેષ્ઠ શહેરો સાથે સ્પર્ધામાં રહેવાના એના સતત પ્રયાસોથી અમદાવાદ આધુનિકીકરણ તરફ આગળ વધ્યું છે.

સરકાર, બેંકો, સોસાયટીઓ અને બિલ્ડરોએ બધાએ રીડેવલપમેન્ટ માટે હાથ મિલાવ્યા છે. આપણે અમદાવાદમાં અનેક વિસ્તારમાં એક નવો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જાેઈ રહ્યા છીએ. અને સરકાર તરફથી વધુ સવલતોને લીધે રીડેવલપમેન્ટ આગળ વધી રહ્યું છે. બેંકોના ધિરાણ દરે પણ આ પરિવર્તનમાં મદદ કરી છે. એ ઉપરાંત રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટે (રેરા) ખૂબ જ જરૂરી ભરોસો આપ્યો છે, જેનો હંમેશાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટ માટે અભાવ રહેતો હતો.

‘નવું ભારત, આર્ત્મનિભર ભારત’ સૂત્રને સમર્થન આપવાની દરેક અમદાવાદીઓની લાગણીને વેગ મળ્યો છે અને આ રીતે રિયલ્ટી સેક્ટરમાં વેચાણમાં તેજી આવી છે. કોવિડ પછીના સમયની વાત કરીએ તો દરેક વ્યક્તિમાં નવી ઊર્જા જાેવા મળી છે અને વેચાણ બમણું થઈ ગયું છે. ઘર, ઑફિસ અને વેરહાઉસની વિશાળ માગ ઊભી થઈ છે.જાે કે હાલમાં રિયલ્ટી સેક્ટરના વેચાણમાં સામાન્ય ઘટાડો હોવાનું જાણકારો કહી રહ્યા છે, પરંતુ એનાથી રીડેવલપમેન્ટમાં કોઈ ફેર પાડવાનો નથી.

ડેવલપર્સ હવે રીડેવલપર્સ બન્યા છે, જૂનાં જર્જરિત બિલ્ડિંગોને નવો દેખાવ મળવા લાગ્યો છે અને અમદાવાદીઓને જીવનભરમાં એક વાર સ્લમ કે હાઉસિંગ કોલોનીને અલવિદા કહેવાની અને સ્લમ રીડેવલપમેન્ટ અને હાઉસિંગ રીડેવલપમેન્ટ હેઠળ પોતાના સ્વપ્નના ફ્લૅટમાં રહેવાની તક મળી છે. મધ્યમ આવક ધરાવતા પરિવારોને હવે તેમના નાના ઘરની જગ્યાએ મોટું ઘર મળી શકે છે, જેથી પરિવારના તમામ સભ્યોને સારું જીવન મળે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...