Saturday, November 8, 2025

IPL ને લઇને મોટા સમાચાર, ભારત-પાકિસ્તાન તણાવને લઇને IPLની ટુર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય

spot_img
Share

મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ BCCI એ એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ IPLને સ્થિગત કરવામાં આવી છે. BCCI ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. બુધવારના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરોમાં ડ્રોન અટેક કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો પરંતુ આ હુમલાની અસર IPL પર જોવા મળી હતી. IPL ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી હતી. તેને પણ અધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન અધવચ્ચે જ મુલતવી રાખવામાં આવી છે. 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો. BCCI ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. BCCI ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.

IPLનો આ તબક્કો અહીં જ રોકાઈ ગયો છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ વચ્ચે ધર્મશાલામાં 8મી મેએ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રદ કરી દેવાઈ હતી. જે બાદ ઘણા અહેવાલોમાં દાવો કરાઇ રહ્યો છે કે IPLની તમામ મેચ રદ કરી દેવાય તેવી શક્યતા છે. એવામાં 9મી મેએ સવારે IPLના ચેરમેન અરુણ ધૂમલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, ‘સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્દેશ મળ્યા નથી. તમામ સ્ટેકહોલ્ડર્સના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.’

2024ની IPL બે ભાગમાં રમાઈ હતી કારણ કે તે જ સમયે લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી હતી. પહેલો ભાગ 22 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં 21 મેચ રમાઈ હતી. આ પછી, જ્યારે ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી, ત્યારે બાકીની મેચો અને પ્લેઓફ શેડ્યૂલ કરવામાં આવ્યા અને રમાયા. આ કારણે ટુર્નામેન્ટ સરળતાથી યોજાઈ શકી અને કોઈ સમસ્યા ન હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...