Wednesday, March 11, 2026

અમદાવાદમાં 3 અકસ્માતમાં 1નું મોત અને 2 ઈજાગ્રસ્ત, વ્યાસવાડી ચાર રસ્તા પર કારની ટક્કરથી રિક્ષા ઊંધી પડી ગઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શનિવાર મોડી રાતથી અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ખાનગી પાસિંગ ધરાવતી સેડાન કારના ચાલકે રિક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે કાર, રિક્ષા તથા એક ટુ વ્હીલરને મોટું નુકસાન થવા પામ્યું છે.

બીજી અકસ્માતની ઘટનામાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી રાજેન્દ્ર બારોટ નામનો 39 વર્ષીય યુવક રહીમ ટેકરાથી આવીને રિવરફ્રન્ટમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બાઇક ચાલકે પૂરઝડપે રાજેન્દ્રને ટક્કર મારી હતી.રાજેન્દ્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજેન્દ્રભાઈને માથાના ભાગે હેમરેજ થયું હતું.સવારે 4 વાગ્યે સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈનું મોત થયું છે.B ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રીજી અકસ્માતની ઘટનામાં શહેરના પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસેથી વટવામાં રહેતો આદિલ શેખ નામનો યુવક પોતાનું ટુ વ્હીલર લઈને જઈ રહ્યો હતો.આ દરમિયા પુરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે આદિલને ટક્કર મારી હતી.આદિલને ટક્કર વાગતા વાહન પરથી પડ્યો હતો.આદિલને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતનો બનાવ વહેલી સવારે 4 વાગ્યે બન્યો હતો.N ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...