Monday, April 27, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલુ થયેલા આ પાંચ પ્રોજેક્ટનું બાળ મરણ, જાણો લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભા કરવામાં આવેલા પ્રોજેકટ AMC ની બેદરકારીના કારણે થોડાક વર્ષોમાં બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ દ્વારા વર્ષ 2015 થી 2022 સુધીમાં પાંચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા.જે પૈકી ત્રણ પ્રોજેક્ટ બંધ હાલતમાં છે તો એ સિવાયના બાકીના પ્રોજેકટ મૃતપાય અવસ્થામાં છે.અમદાવાદ રિવરફ્રન્ટ બોર્ડની બોર્ડ બેઠકમાં ફરી એક વાર પ્રોજેક્ટનો મુદ્દો ઉઠ્યો હતો અને વિપક્ષ નેતા શહેઝાદ ખાન દ્વારા પ્રોજેક્ટ મામલે રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટ પર વર્ષ 2015 માં ઝીપ લાઇન સેવા શરૂ કરવામ આવી હતી ત્યાર બાદ સી પ્લેન, જોઈ રાઇડ હેલિકોપ્ટર, કાયા કિંગ વોટર એક્ટિવિટી અને તરતી રેસ્ટોરન્ટ રિવર ક્રૂઝ જેવા અનેક પ્રોજેક્ટો ચાલુ કરવામાં આવ્યા હતા. જો કે તમામ પ્રોજેક્ટ ફેલ નીવડયા હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. તમામ પ્રોજેક્ટ ચાલુ થયા ના એક બે વર્ષમાં જ બંધ થઈ ગયા છે. વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પણ તે પ્રોજેક્ટ સફળ થતો નથી.

વિપક્ષના આક્ષેપ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષના આક્ષેપ ખોટા છે. વરસાદની આગાહી થાય કે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવે છે. ક્રૂઝ વરસાદ બંધ થતા ફરી ચાલુ થઈ છે. ઝીપ લાઇન અને હેલિકોપ્ટર સર્વિસ ટેકનિકલ ખામીને કારણે બંધ કરવામાં આવી હશે. ટોયલેટ સફાઈની જે વાત કરી છે તે સફાઈના આદેશ આપવામાં આવ્યા છે. ઇમેજિકા આ 4સાથે પણ MOU કરવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં લોનાવાલ નાગરિકોએ નહીં જવું પડે. આરંભે સુરા. જેવી કહેવત અહીં અમદાવાદ મહાનગરપાલિકાની લાગુ પડી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં અનેક પ્રોજેક્ટ તો ચાલુ થાય છે પરંતુ તેનું બાળ મરણ થઈ જાય છે.

21/3/2015ના રોજ ઝીપ લાઈનનું ઉદ્ધાટન
31/10/2020ના રોજ સી-પ્લેનનું ઉદ્ધાટન
1/1/2022ના રોજ હેલિકોપ્ટર રાઈડનું ઉદ્દઘાટન
31/3/2023ના રોજ કાયાકિંગનું ઉદ્ધાટન
2/7/2023ના રોજ રિવર ક્રૂઝનું ઉદ્ધાટન

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...