Monday, April 27, 2026

નહેરુનગર અકસ્માત મામલો, કોર્ટમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ

spot_img
Share

અમદાવાદ : રવિવારે મોડી રાતે શહેરના નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાની બીઆરટીએસ નજીક વધુ એક નબીરા રોહન સોનીએ પૂરપાટ ગાડી ચલાવવાની લ્હાયમાં ટુ વ્હીલર પર જતા બે યુવાનને ઉડાવી દીધા હતા. આ બંને યુવાનોના મોત નીપજ્યા હતા.જેને લઈને મંગળવારે સાંજે આરોપી રોહન સોનીને કોર્ટમાં લઈ જવાયો હતો. આ સમયે આરોપી સાથે કોર્ટેમાં માર મારવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ટપલી દાવ અને માર માર્યો હતો. આ દરમિયાન મૃતકના પરિજનોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી અને પોલીસ સાથે ગેરવર્તણૂક તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના આરોપમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે મોડી રાતે અમદાવાદના નહેરૂનગર ખાતે અકસ્માત સર્જી બે લોકોને કચડી દેનાર આરોપી રોહન સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ જ્યારે આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરવા લઈ જઈ રહી હતી, તે સમયે એકાએક મૃતકોના સગા ત્યાં પહોંચી ગયા અને આરોપીને બહાર કાઢતાની સાથે જ તેને માર મારવા લાગ્યા.આ લોકો બૂમો પાડી રહ્યા હતા કે, ‘ઈસને અપને આદમી કો મારા હૈ, ઈસકો ભી માર ડાલો.’ સમગ્ર ઘટનામાં પોલીસે તમામ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો અને આરોપીને શાંતિથી કોર્ટમાં લઈ જવા માટે કહ્યું. પરંતુ, આ લોકો પોલીસનું સાંભળવા માટે તૈયાર નહતા અને પોલીસ સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા.

જોકે, મહા મહેનતે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો અને આરોપીને ચારેય બાજુથી કોર્ડન કરીને કોર્ટ પરિસરમાં લઈ જવામાં આવ્યો. બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના કેસમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો. જેમાં આદિલ શેખ, ઉજેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...