Tuesday, March 17, 2026

સાબરમતી રિવરફ્રન્ટ ફરીવાર બન્યો ‘સ્યુસાઇડ પોઇન્ટ’ ! 2 વર્ષની બાળકીને લઇ મહિલાએ નદીમાં ઝંપલાવતા અરેરાટી

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. અમદાવાદના ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માતા અને બાળકી બંનેનું મોત નિપજ્યું છે. પરંતું માતાની તરતી લાશ સાથે બાળકી ચોંટી રહેવાના વીડિયો હૃદયસ્પર્શી બની રહ્યાં છે. આ સમગ્ર ઘટનામાં 2 વર્ષીય બાળકોનો શું વાંક? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પર ગત રોજ સાંજના સુમારે પિન્કીબેન નામની મહિલાએ અગમ્ય કારણોસર તેની 2 વર્ષીય દિકરી સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમને કરતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેમજ ત્યાં હાજર રહેલ લોકો દ્વારા બાળકીને CPR આપતા બાળકી જીવતી થઈ હતી. જે બાદ બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતું બાળકીનો જીવ બચ્યો ન હતો અને મોડી રાત્રે સારવાર દરમ્યાન બાળકીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, મહિલાની ઓળખ 38 વર્ષીય પિન્કીબેન રાવત હોવાનું ખૂલ્યું છે. જેમણે બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. તેમણે મોત સમયે દીકરીનો હાથ પકડી રાખ્યો હતો, જેથી મોત બાદ તેમની લાશ સાથે દીકરી ચોંટેલી રહી હતી. માતના મૃતદેહ સાથે બાળકી પાણીમાં તરી રહી હતી. આ દ્રશ્ય ભલભલાને સમસમાવી દે તેવા હતા. બાળકી રડી રહી હતી.

રેસ્ક્યુ ટીમના સભ્યો દ્વારા માતા તેમજ બાળકીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકી જીવીત લાગતા બાળકીને CPR આપવામાં આવ્યો હતો. જે બાદ બાળકી રડવા લાગી હતી. બાળકીનો જીવ બચાવવા માટે તેને તાત્કાલીક પોલીસની ગાડીમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રસ્તામાં જ એમ્બ્યુલન્સ મળતા બાળકીને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...