Wednesday, January 14, 2026

સાબરમતી રિવરફ્રન્ટ ફરીવાર બન્યો ‘સ્યુસાઇડ પોઇન્ટ’ ! 2 વર્ષની બાળકીને લઇ મહિલાએ નદીમાં ઝંપલાવતા અરેરાટી

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે. અમદાવાદના ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માતા અને બાળકી બંનેનું મોત નિપજ્યું છે. પરંતું માતાની તરતી લાશ સાથે બાળકી ચોંટી રહેવાના વીડિયો હૃદયસ્પર્શી બની રહ્યાં છે. આ સમગ્ર ઘટનામાં 2 વર્ષીય બાળકોનો શું વાંક? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં ફેવરિટ પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પર ગત રોજ સાંજના સુમારે પિન્કીબેન નામની મહિલાએ અગમ્ય કારણોસર તેની 2 વર્ષીય દિકરી સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમને કરતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેમજ ત્યાં હાજર રહેલ લોકો દ્વારા બાળકીને CPR આપતા બાળકી જીવતી થઈ હતી. જે બાદ બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતું બાળકીનો જીવ બચ્યો ન હતો અને મોડી રાત્રે સારવાર દરમ્યાન બાળકીનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, મહિલાની ઓળખ 38 વર્ષીય પિન્કીબેન રાવત હોવાનું ખૂલ્યું છે. જેમણે બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. તેમણે મોત સમયે દીકરીનો હાથ પકડી રાખ્યો હતો, જેથી મોત બાદ તેમની લાશ સાથે દીકરી ચોંટેલી રહી હતી. માતના મૃતદેહ સાથે બાળકી પાણીમાં તરી રહી હતી. આ દ્રશ્ય ભલભલાને સમસમાવી દે તેવા હતા. બાળકી રડી રહી હતી.

રેસ્ક્યુ ટીમના સભ્યો દ્વારા માતા તેમજ બાળકીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકી જીવીત લાગતા બાળકીને CPR આપવામાં આવ્યો હતો. જે બાદ બાળકી રડવા લાગી હતી. બાળકીનો જીવ બચાવવા માટે તેને તાત્કાલીક પોલીસની ગાડીમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રસ્તામાં જ એમ્બ્યુલન્સ મળતા બાળકીને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરી સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...