Wednesday, March 4, 2026

નવા વાડજ-નારણપુરા-સોલા : રિડેવલપમેન્ટ માટે હાઉસીંગના રહીશોએ એકતા બતાવવી પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ કરીને કોરોનાકાળ બાદ સોલા રોડ, નારણપુરા અને નવા વાડજની અનેક જર્જરિત મકાનોની હાલત જોઈને રિડેવલોપમેન્ટની માંગ પ્રબળ બની છે.

તાજેતરમાં રહીશો અને જુદા જુદા મંડળ તથા ફેડરેશન દ્વારા રજુઆતો, કાર્યક્રમો વગેરે લઈને સરકાર હરકતમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયની રાહ જોયા પછી તાજેતરમાં સરકાર પેનલ્ટી માફ કરવાની યોજના લાવી છે પરંતુ રિડેવલોપમેન્ટ પોલીસીમાં સુધારાને લઈને હાઉસીંગના રહીશા નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસીંગ સોસાયટીઓની વાત કરીએ તો સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની અલગ અલગ ૧૨૫ થી વધુ સોસાયટીઓ રિડેવલમેન્ટ માટે તૈયાર બેઠી છે પરંતુ રિડેવલમેન્ટ પોલીસી-૨૦૧૬માં બિલ્ડરોની મૂળ માલિકને અન્યાય કરતી શરતો અને ઉપરથી કાંડા કાપી લેતા હઠાગ્રહી નીતિની જાહેરાતના છ વર્ષ પછી પણ અમદાવાદમાં જયમંગલ બસસ્ટેન્ડ નજીકની એક માત્ર એકતા એપાર્ટમેન્ટની સ્કીમ પૂરી થઈ શકી છે.ત્યારબાદ આજદિન સુધી કોઈ પણ રિડેવલપમેન્ટ સફળ થયું નથી. ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીનો સમયગાળો ગણવામાં આવે તો સાત વર્ષમાં એક સોસાયટીનું રિડેવલપમેન્ટ સફળ થયું છે.

પરંતુ આ વખતે હાઉસીંગના મતદારો રિડેવલમેન્ટની ઢીલી નીતિને લઈને નારાજ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ચુંટાયેલ પ્રતિનિધીઓ સાથ અને સહકાર ન આપતા હોવાની રહીશો ફરિયાદ કરી રહ્યા છે.સ્થાનિક નેતાઓ રસ દાખવતા નથી, આ વખતે હજુ બે-ચાર મહિના બાકી છે ત્યારે ચુંટણી પહેલા રિડેવલમેન્ટ પોલીસીમાં ફેરફાર ન કરવામાં આવે તો ચુંટણીઓમાં ખબર પાડી દેવાનું મન બનાવી દીધું છે. જેને લઈને આગામી સમયમાં હાઉસીંગના રહીશોએ એકતા બતાવવી પડશે, એકતાથી લઈને શક્તિપ્રદર્શનો બતાવવા પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...