Tuesday, October 14, 2025

નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ માટે લાઇસન્સ ફરજિયાત : 12 આવશ્યક નિયમો પાલન કરવું પડશે

Share

અમદાવાદ : નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ ફરજિયાત લાઇસન્સ લેવું પડશે, આ સાથે જ એમાં કેટલાક કડક નિયમો પણ બનાવાયા છે. એમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત કરાયું છે તથા ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ અપાશે નહીં.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબનું લાઇસન્સ/રજિસ્ટ્રેશન સત્વર ઝોન/વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પર ઓનલાઈન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઇન અરજી કરી લાઇસન્સ/રજિસ્ટ્રેશન ફરજિયાત મેળવી લેવાનાં રહેશે.

લાયસન્સ | રજીસ્ટ્રેશન બાબતે અને તેઓ દ્રારા અનુસરવાની થતી શરતો / નિયમો નીચે મુજબ છે.

૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન સત્વરે ઝોન / વોર્ડના ફુડ સેફટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા foscos.fssai.gov.in ઉપર ઓનલાઈન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઈન અરજી કરી લાયસન્સ / રજીસ્ટ્રેશન ફરજીયાત મેળવી લેવાના રહેશે.

૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવ્યા વગર ખાધ્ય ચીજવસ્તુ ઓનો ધંધો કરવો તે કાયદાકીય ગુના પાત્ર છે.

૩) ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (રજીસ્ટ્રેશન એન્ડ લાયસન્સીંગ ઓફ ફુડ બીઝનેસીસ) રેગ્યુલેશન-૨૦૧૧ના શિડયુલ ૪ ના નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.

૪) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ કેપ, હેન્ડગ્લોવ્સ, એપ્રેન પહેર્યા વગર ખાધ્ય પદાર્થ બનાવવો નહી કે વેચવો નહી.

૫) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ પોતાની અંગત સ્વચ્છતા જેવી કે નખ કાપેલા હોવા જોઇએ, વાળ કાપેલા હોવા જોઇએ વિગેરેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૬) નવરાત્રી મહોત્સવ દરમ્યાન સંચાલકોએ ફુડ સ્ટોલ્સમાં ચેપીરોગ થી પીડાતા કોઇ પણ ફુડ હેન્ડલરને પ્રવેશ આપવો નહી.

૭) નવરાત્રી મહોત્સવ દરમ્યાન પેકીંગ રો-મટીરીયલના લેબલની ખાતરી કરી તેનો ઉપયોગ કરી ખાધ્ય ખોરાક તૈયાર કરવો.

૮) નવરાત્રી મહોત્સવ દરમ્યાન આગ લાગે તેવા સંજોગોમાં અગમ ચેતીના ભાગરૂપે અગ્નિશામક ઉપકરણો અવશ્ય રાખવાના રહેશે.

૯) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવનાર ખાધ્ય ખોરાકને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ રાખવાના રહેશે. તેમજ યોગ્ય આવરણથી ખાધ્ય ખોરાકને ઢાંકીને રાખવો.

૧૦) નવરાત્રી મહોત્સવ દરમ્યાન વાસી કે બગડી ગયેલ ખાધ્ય ખોરાક વેચવો નહી અને તેનો સત્વરે નાશ કરવો.

૧૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ્સ ધારકોએ તારીખ વીતી ગયેલ ખાધ્ય પદાર્થ, ઠંડાપીણા, આઈસ્ક્રીમ અને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરનો ઉપયોગ કરવો નહી.

૧૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલની આસપાસની જગ્યામાં સફાઈનાં ઉચ્ચત્તમ ધોરણોનું પાલન કરવાનું રહેશે. તેમજ સુકા તથા ભીના કચરાના અલગ-અલગ ડસ્ટબીનની વ્યવસ્થા પણ તેઓએ કરવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...