Wednesday, March 11, 2026

અમદાવાદીઓ મફત પિઝા ખાવા માટે ઘેલા થયા, રાશન કાર્ડ જેવી લાંબી લાઈનો લાગી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ મફત પિઝા લેવા માટે ઘેલા થયા છે, અમદાવાદમાં મફત પિઝા ખાવા માટે લાઈનો લાગી છે, મફત પિઝાની સ્કીમ જોઈને લોકો પિઝા લેવા માટે રાશન કાર્ડની લાઈન લાગી હોય તેમ ઉમટી પડયા હતા, ત્યારે રવિવારે મફત પિઝા ખાવા માટે લોકોની લાઈનો પડી હતી. ભીડ એટલી હદે વધી છે કે, પોલીસ આવી પહોંચી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક ખાનગી પિઝા આઉટલેટ દ્વારા રવિવારે મફત પિઝાની જાહેરાત કરવામાં આવી હતી. મફત પિઝા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. જેને કારણે રવિવારે મોટી સંખ્યામાં પિઝા આઉટલેટ પર ફ્રી પિઝા લેવા માટે લોકો પહોંચી ગયા હતા. પિઝા શોપના માલિકે 2 કલાકમાં 1500 પિઝા આપવાની જાહેરાત કરી હતી જેને લઈ લોકો લાઈનમાં ઉમટી પડયા હતા, બપોરે 12 થી 2 વાગ્યા સુધી મફત પિઝાનું વિતરણ કરવામાં આવ્યું હતુ, અને એક કલાકમાં મફત પિઝાનો ટાર્ગેટ વેપારીને પૂર્ણ થયો હતો, શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો પિઝા લેવા ઉમટી પડયા હતા.

પિઝા એ નાના બાળકોથી લઈને મોટા લોકોને અતિપ્રિય હોય છે અને આજે રવિવાર એટલે રજાનો દિવસ, કોને એવું ના થાય કે લાવો પિઝા ખાઈએ એ પણ મફતના, ત્યારે પ્રહલાદનગરમાં એક આઉટલેટના ઓપનિંગ વખતે અને આઉટલેટની જાહેરાત કરવાના લીધે પિઝા મફતમાં આપવાની સ્કીમ રાખી હતી અને લોકો દૂર દૂરથી પિઝા લેવા માટે ઉમટી પડયા હતા. ત્યારે મફતમાં પિઝા ખાવા કોને ના ગમે, તો ભીડ જોઈને પોલીસની ટીમ પણ પહોંચી હતી. એક વ્યકિતને પિઝાનું એક બોકસ આપવમાં આવતું હોવાની વાત સામે આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...