Tuesday, October 14, 2025

અમદાવાદીઓને મફતમાં પીઝા આપનાર આઉટલેટ કરાયું સીલ, સફાઈ નિયમોના ઉલ્લંઘન બદલ..

Share

અમદાવાદ : અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ એક લોકપ્રિય પિઝા આઉટલેટને રવિવારે મફત પિઝાની ઓફર પછી લોકોએ ભારે ભીડ કરીને બહાર જાહેરમાં કચરો ફેંક્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને તસવીરો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક કાર્યવાહી કરતા આ આઉટલેટને સીલ માર્યું છે. આ ઘટનાએ નાગરિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ અંગે ચર્ચા જગાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં વિનસ કોમ્પ્લેક્સમાં માર્ટિનોઝ પીઝા આઉટલેટ માલિક દ્વારા રવિવારે લોકોને મફતમાં પીઝા આપવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેથી 1,000થી વધારે લોકો આ પીઝા લેવા માટે રવિવારે પહોંચ્યા હતા. રવિવારે પીઝા આપવાની જાહેરાત બાદ રોડ ઉપર ત્યાં કચરો થયો હતો. કોમ્પલેક્ષની આગળના ભાગે પીઝા આઉટલેટ દ્વારા કચરો નાખી દેવામાં આવ્યો હતો. જાહેર રોડ ઉપર કચરો ન ફેંકવા અને ડસ્ટબીન રાખવાની સૂચના છતાં પણ આઉટલેટ દ્વારા બહાર રોડ ઉપર કચરો ફેંકી દેવામાં આવ્યો હતો. જેથી, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ જ્યારે ત્યાં તપાસ માટે ગઈ તો કચરો બહારના ભાગે પડ્યો હોવાથી તાત્કાલિક ધોરણે તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર તરીકેનું સ્થાન મળ્યું છે પરંતુ, કેટલાક લોકો દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવે છે. માર્ટિનોઝ પીઝા આઉટલેટની બેદરકારી સામે આવતા કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી કરી અને સીલ મારી દેવામાં આવ્યું છે. હવે જાહેર રોડ પર કોઈપણ વેપારી કે લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળા જુઓ કચરો ફેંકશે અથવા તો ડસ્ટબીન નહીં રાખે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી અને તેમના માલ-સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે. જેથી, હવે દરેક વેપારીએ ડસ્ટબીન રાખવા પડશે અને રોડ ઉપર કચરો ફેકશે તો દંડથી લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...