Wednesday, March 11, 2026

અમદાવાદની આ સ્કૂલ વિવાદમાં : વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડી

spot_img
Share

અમદાવાદ : મેટ્રોસિટી અમદાવાદની ફરી એક શાળા વિવાદમાં આવી છે. અહેવાલો મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં શાળાની વિદ્યાર્થીનિઓને સ્કર્ટ નીચે લેગિંસ નહિ પહેરવાને લઈ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા બહાર વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓના જણાવ્યા પ્રમાણે શોર્ટ સ્કર્ટ નીચે લેગિંસ પહેરે તો સ્કૂલ તરફથી પનિશમેન્ટ અપાતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

અહેવાલો મુજબ, અમદાવાદની બોપલ સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. વાલીઓનો આક્ષેપ કે, “સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓને સૂચના આપવામાં આવી છે. વાલીઓનો આરોપ છે કે, પ્રિન્સિપાલ રોજ વિદ્યાર્થીઓને રોકે છે. સ્કૂલમાં મચ્છર પણ છે વિદ્યાર્થીનીઓને ન કરડે એટલે અમે લેંગિન્સ પહેરાવીએ છીએ. વાલીઓએ આરોપ લગાવ્યો કે મેઈલ પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને જવા દે, જ્યારે મહિલા પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને ઊભા રાખે છે.

આ તરફ હવે યુનિફોર્મ સ્કૂલ માટે પ્રાથમિકતા હોવાની પ્રિન્સિપાલની વાલીઓ સામે ડંફાશ કરતાં મામલો ગરમાયો છે. અહેવાલો મુજબ, વિવાદ વકરતા પ્રિન્સિપાલે કહ્યું કે, વાલીઓ લેખિતમાં આપશે તો લેગિન્સ પહેરીને આવવા દઈશું. યુનિફોર્મમાં કોઇપણ ફેરફાર માન્ય નહીં હોય. જો લેગિન્સ સાથે આવવું હોય તો વાલીઓએ તેની લેખિત મંજૂરી આપી પડશે. જોકે હવે પ્રિન્સિપાલના આ નિવેદનથી વાલીઓમાં આક્રોશ પ્રસરી ગયો છે.

આજના સમયમાં ખાસ કરીને છોકરીઓની સુરક્ષા અને આરામને ધ્યાનમાં લેતા અનેક વાલીઓએ પોતાની દીકરીઓને સ્કર્ટ સાથે લેગિન્સ પહેરાવીને સ્કૂલ મોકલવાનું પસંદ કર્યું છે. પરંતુ સ્કૂલના તંત્રએ આ પ્રકારની વ્યવહારિક સમજદારીને નકારી કાઢી છે અને વાલીઓ સામે ધમકીભર્યું વલણ અપનાવ્યું છે. જેમાં સ્કૂલ દ્વારા દીકરીઓ માટે ફરજિયાત સ્કર્ટ પહેરીને આવવાનો નિર્દેશ આપવામાં આવતા હવે આ મામલે વિવાદ ઊભો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...