Sunday, April 26, 2026

અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડમાં શાહરુખ ખાન છવાયો, તો અનન્યા પાંડેએ લૂંટી મહેફિલ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. કાંકરિયામાં ખાનગી કલબમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બોલિવૂડના મોટા-મોટા સ્ટાર્સે હાજરી આપી. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડીએ એવોર્ડ હોસ્ટ કરીને રાતને યાદગાર બનાવી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કાંકરિયામાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સના રેડ કાર્પેટ પર ફિલ્મી સ્ટાર્સનો જમાવડો એકઠો થયો હતો. સાથે જ અલગ અલગ કેટેગરીમાં પુરસ્કારોની જાહેરાત થઈ હતી. શાહરુખ ખાનની ગ્રાન્ડ એન્ટ્રીથી માહોલ ખૂબ જ રોમાંચક થઈ ગયો હતો. અનન્યા પાંડેએ પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા હતા.

70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘મુનજ્યા’એ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ખિતાબ મળ્યો, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ, બેસ્ટ એડિટિંગનો એવોર્ડ શિવકુમાર વી. પણિક્કરને ‘કિલ’ ફિલ્મ માટે એનાયત કરવામાં આવ્યો.‘કિલ’એ બેસ્ટ એક્શન (સિયાંગ ઓહ અને પરવેઝ શેખ) અને બેસ્ટ સિનેમૅટોગ્રાફી (રફી મહમૂદ)ના એવોર્ડ્સ પણ જીત્યો. જ્યારે બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનો એવોર્ડ પણ સુભાષ સાહુને આ જ ફિલ્મ માટે મળ્યો.

બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ આદિત્ય ધર અને મોનાલ ઠાકુરે ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે આપવમાં આવ્યો. જ્યારે ‘લાપતા લેડીઝ’ને બેસ્ટ ડાયલૉગ અને સ્ક્રીનપ્લે (સ્નેહા દેસાઈ) અને બેસ્ટ કૉસ્ટ્યૂમ (દર્શન જલાન)નો ખિતાબ મળ્યો.‘લાપતા લેડીઝ’ને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ પણ મળ્યો, જ્યારે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ કુણાલ ખેમુએ ‘મડગાંવ એક્સપ્રેસ’ માટે જીત્યો, જે તેમની નવી શરૂઆતનું પ્રતીક છે. આ રાતે ટેકનિકલ કેટેગરીમાં ઘણા નવા નામો ઝળહળ્યા.

ફિલ્મફેરે દિગ્ગજ એક્ટ્રેસ નૂતનને શ્રદ્ધાંજલિ આપી. ફિલ્મ ફેર દ્વારા એનાયત કરેલા આઈકોન એવોર્ડને રિસીવ કરવા માટે તેમના પુત્રો મોહનીશ બહલ અને પ્રનૂતન બહલે સિને પહોંચ્યા હતા.ફિલ્મફેરની રાતને ખાસ બનાવવા માટે બૉલીવુડના કિંગ શાહરૂખ ખાન બ્લેક સૂટમાં દેખાયા હતા. તેમને આ શાનદાર ઇવેન્ટમાં કરણ જોહર અને મનીષ પાલ સાથે હોસ્ટ કરવાની જવાબદારી સોંપાવામાં આવી છે. શાહરૂખનો આ રોયલ લુક ચાહકોમાં ઉત્સાહ ફેલાવી હતો.

આ ઉપરાંત અક્ષય કુમાર, મનોજ જોશી, મેઘા શંકર, સ્મૃતિ ઈરાની, અનુપમ ખેર, કાજોલ, બોની કપૂર, મુનમુન દત્તા, ધ્વનિ ભાનુશાલી, રાજપાલ યાદવ, સાન્યા મલ્હોત્રા,સિદ્ધાંત ચતુર્વેદી, ભિનેત્રી ક્લાઉડિયા સીએસ્લા સહિતના અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.

કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસદ્વારા 28 રૂટ પર દોડતી કુલ 183 બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રૂટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...