Tuesday, January 13, 2026

અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડમાં શાહરુખ ખાન છવાયો, તો અનન્યા પાંડેએ લૂંટી મહેફિલ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. કાંકરિયામાં ખાનગી કલબમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બોલિવૂડના મોટા-મોટા સ્ટાર્સે હાજરી આપી. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડીએ એવોર્ડ હોસ્ટ કરીને રાતને યાદગાર બનાવી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કાંકરિયામાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સના રેડ કાર્પેટ પર ફિલ્મી સ્ટાર્સનો જમાવડો એકઠો થયો હતો. સાથે જ અલગ અલગ કેટેગરીમાં પુરસ્કારોની જાહેરાત થઈ હતી. શાહરુખ ખાનની ગ્રાન્ડ એન્ટ્રીથી માહોલ ખૂબ જ રોમાંચક થઈ ગયો હતો. અનન્યા પાંડેએ પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા હતા.

70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘મુનજ્યા’એ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ખિતાબ મળ્યો, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ, બેસ્ટ એડિટિંગનો એવોર્ડ શિવકુમાર વી. પણિક્કરને ‘કિલ’ ફિલ્મ માટે એનાયત કરવામાં આવ્યો.‘કિલ’એ બેસ્ટ એક્શન (સિયાંગ ઓહ અને પરવેઝ શેખ) અને બેસ્ટ સિનેમૅટોગ્રાફી (રફી મહમૂદ)ના એવોર્ડ્સ પણ જીત્યો. જ્યારે બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનો એવોર્ડ પણ સુભાષ સાહુને આ જ ફિલ્મ માટે મળ્યો.

બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ આદિત્ય ધર અને મોનાલ ઠાકુરે ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે આપવમાં આવ્યો. જ્યારે ‘લાપતા લેડીઝ’ને બેસ્ટ ડાયલૉગ અને સ્ક્રીનપ્લે (સ્નેહા દેસાઈ) અને બેસ્ટ કૉસ્ટ્યૂમ (દર્શન જલાન)નો ખિતાબ મળ્યો.‘લાપતા લેડીઝ’ને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ પણ મળ્યો, જ્યારે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ કુણાલ ખેમુએ ‘મડગાંવ એક્સપ્રેસ’ માટે જીત્યો, જે તેમની નવી શરૂઆતનું પ્રતીક છે. આ રાતે ટેકનિકલ કેટેગરીમાં ઘણા નવા નામો ઝળહળ્યા.

ફિલ્મફેરે દિગ્ગજ એક્ટ્રેસ નૂતનને શ્રદ્ધાંજલિ આપી. ફિલ્મ ફેર દ્વારા એનાયત કરેલા આઈકોન એવોર્ડને રિસીવ કરવા માટે તેમના પુત્રો મોહનીશ બહલ અને પ્રનૂતન બહલે સિને પહોંચ્યા હતા.ફિલ્મફેરની રાતને ખાસ બનાવવા માટે બૉલીવુડના કિંગ શાહરૂખ ખાન બ્લેક સૂટમાં દેખાયા હતા. તેમને આ શાનદાર ઇવેન્ટમાં કરણ જોહર અને મનીષ પાલ સાથે હોસ્ટ કરવાની જવાબદારી સોંપાવામાં આવી છે. શાહરૂખનો આ રોયલ લુક ચાહકોમાં ઉત્સાહ ફેલાવી હતો.

આ ઉપરાંત અક્ષય કુમાર, મનોજ જોશી, મેઘા શંકર, સ્મૃતિ ઈરાની, અનુપમ ખેર, કાજોલ, બોની કપૂર, મુનમુન દત્તા, ધ્વનિ ભાનુશાલી, રાજપાલ યાદવ, સાન્યા મલ્હોત્રા,સિદ્ધાંત ચતુર્વેદી, ભિનેત્રી ક્લાઉડિયા સીએસ્લા સહિતના અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.

કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસદ્વારા 28 રૂટ પર દોડતી કુલ 183 બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રૂટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....