Tuesday, March 17, 2026

ATSએ પકડેલા આતંકીની તપાસમાં ખુલાસો, સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને મોટી માત્રામાં રસાયણો જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક, ડૉ. અહેમદ સૈયદ, ડૉક્ટર છે. ડૉ. અહેમદે ચીનથી MBBSની ડિગ્રી મેળવી હતી. ડૉ. અહેમદ પોતે હૈદરાબાદના છે, જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને ઉત્તર પ્રદેશના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સૈયદ નામના આરોપીની પૂછપરછમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સૈયદે આ સામગ્રી રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા બે અન્ય આરોપીઓ, આઝાદ અને સોહિલ પાસેથી મેળવી હતી. હૈદરાબાદ પરત ફર્યા પછી, તે સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઝેર પાવડર સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને ખોરાકમાં ભેળવવાનો હતો.

પકડાયેલા આતંકીની વધુ પૂછપરછ કર્યા બાદ બનાસકાંઠાથી બે શકમંદોની પૂછપરછ કરવામાં આવતા તેમનો પણ તેમાં રોલ જણાઈ આવ્યો હતો. આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામ છે. આ બન્ને યુપીના રહેવાસી છે. આ લોકો દ્વારા હથિયારની ડિલિવરી કલોલ ખાતે અવાવરું જગ્યાએ મૂકવામાં આવી હતી. જેની રિકવરી હૈદરાબાદથી આવેલા આતંકી દ્વારા કરવામાં આવી હતી.

આતંકીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેશના કેટલાક સંવેદનશીલ શહેરોની રેકી કરી હતી. હૈદરાબાદના આતંકીની વધુ પૂછપરછ કરવામાં આવતાં જણાઈ આવ્યું હતું કે, રાઈઝિન નામના ખૂબ જ ઝેરી પદાર્થને બનાવવામાં આવ્યું હતું. જેના પૂરાવા તેના ફોનમાંથી મળી આવ્યા છે. આ આતંકીના 17 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે. જ્યારે અન્ય બે આતંકીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...