Tuesday, November 11, 2025

દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ : મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર, જાણો

spot_img
Share

અમદાવાદ : દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પોતાના નિર્ધારિત પ્રસ્થાન સમય કરતાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે, જેથી ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયામાં વિલંબ ન થાય.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે સેફટી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. SVPIA દ્વારા પેસેન્જર સ્ક્રીનીંગ પ્રોટોકોલ વધારવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે પ્રવેશ અને બોર્ડિંગ પહેલાં મુસાફરોનું ચેકિંગ પહેલાં કરતાં વધુ સઘન અને કડક બનાવવામાં આવ્યું છે.સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને સંદિગ્ધ વસ્તુઓ અને વ્યક્તિઓને રોકવા અને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી અટકાવી શકાય. એરપોર્ટના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ પર સુરક્ષા કર્મચારીઓની સંખ્યા અને તકેદારી વધારી દેવામાં આવી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને એક પેસેન્જર એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વધેલા સુરક્ષા પગલાંને કારણે સમયનો વ્યય ન થાય તે માટે, મુસાફરોએ તેમની ફ્લાઇટના નિર્ધારિત શિડ્યુલ સમય પહેલાં જ એરપોર્ટ ઉપર પહોંચી જવું.મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સરકાર માન્ય ફોટો ઓળખ દસ્તાવેજો સાથે રાખે અને સુરક્ષા કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે. દરેક મુસાફરને બોર્ડિંગ પહેલાં સુરક્ષા તપાસમાંથી પસાર થવું ફરજિયાત રહેશે.

મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલા પહોંચી જાય અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપે. અમારા મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની સલામતી અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સુરક્ષા અને સેફટીને ધ્યાને રાખીને, એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને પૂરો સહકાર આપે અને ચેકિંગ પ્રક્રિયા દરમિયાન ધીરજ જાળવી રાખે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...