Sunday, March 8, 2026

અમદાવાદમાં AMCનો વધુ એક અનોખો પ્રોજેક્ટ, રસોડાના કચરામાંથી CNG ગેસ બનાવશે, નોન-વેજ કચરો પણ બનશે પશુઓનો આહાર!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં AMC વધુ એક અનોખો પ્રોજેક્ટ શરૂ કરશે. AMC દ્વારા રસોડાના કચરામાંથી સીએનજી અને નોન-વેજ કચરામાંથી પશુ આહાર બનાવવાનો પાયલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરાશે. અમદાવાદમાં દરરોજનો આશરે 5000 ટનથી વધુ ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાં રસોડાના કચરાનો મોટો હિસ્સો સામેલ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 2850 હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી દરરોજનો આશરે 5000 ટનથી વધુ ઘન કચરો ઉત્પન્ન થાય છે. જેમાં રસોડાના કચરાનો મોટો હિસ્સો સામેલ છે. આ કચરાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવા અને ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવાના બેવડા લક્ષ્યો સાથે, મ્યુનિસિપલ કોર્પોરેશને આ કચરામાંથી બાયોગેસનું ઉત્પાદન કરવાનો અને તેમાંથી સીએનજી બનાવવાનો નિર્ણય લીધો હતો. 100 મેટ્રિક ટન ઓર્ગેનિક કચરા પર પ્રોસેસ કરવા માટેના ટેન્ડરો પહેલેથી જ બહાર પાડવામાં આવ્યા હતા..

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ગેસનો ઉપયોગ AMTS બસો માટે કરવામાં આવશે. તેને પ્રોસેસિંગ સુવિધા સુધી પાઇપલાઇન દ્વારા સપ્લાય કરવામાં આવશે. શરૂઆતમાં, આ કોન્ટ્રાક્ટમાં 100 મેટ્રિક ટન કચરાનો સમાવેશ થશે. આ પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતી સ્લરીનો ઉપયોગ મ્યુનિસિપલ ગાર્ડનસમાં ખાતર તરીકે કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં દરરોજ 5 મેટ્રિક ટનથી વધુ નોન-વેજ કચરો ઉત્પન્ન થાય છે, જેમાં રાંધવા માટે ઉપયોગમાં ન લેવાતા પ્રાણીઓના ભાગોનો સમાવેશ થાય છે. આ કચરાનો નિકાલ એક સતત સમસ્યા રહી છે, જેને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને તેના પર પ્રક્રિયા કરવા માટે એક પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

સૂત્રો મુજબ, પશુ આહાર ઉત્પન્ન કરવા માટે આ કચરાને વૈજ્ઞાનિક રીતે ટ્રીટ કરવામાં આવશે. દેશમાં હાલમાં આવો માત્ર એક જ પ્લાન્ટ છે, અને AMCની આ રીતે બીજો પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. આ પહેલ કચરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને સાથે જ રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે, AMC દ્વારા પીપળજ ખાતે દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો ‘વેસ્ટ-ટુ-એનર્જી’ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 375 કરોડના ખર્ચે બનેલી આ સુવિધા ખાનગી ધોરણે સંચાલિત થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...