Saturday, April 25, 2026

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો શુભારંભ, એમ જે લાઇબ્રેરીમાં આજીવન ફીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ

spot_img
Share

અમદાવાદ : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC અને નેશનલ બુક ટ્રસ્ટ, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું 13થી 25 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. AMC સંચાલિત શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય દ્વારા પુસ્તકાલયના સભાસદોની સંખ્યામાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના પ્રારંભથી 12 ડિસેમ્બર સુધી આજીવન સભ્યપદ ફીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયની આજીવન સભ્ય ફી 3000 રૂપિયા છે જેની જગ્યાએ જો આ એક મહિનામાં સભ્યપદ માટે અરજી કરશે તો 1500 રૂપિયામાં તેઓને આજીવન સભ્યપદ મળશે. મુલાકાતીઓને સભ્યપદ મેળવવામાં સરળતા રહે તે માટે માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય તરફથી સ્થળ પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં લોકો પુસ્તકાલયમાં ઉપલબ્ધ સાહિત્ય સંગ્રહ અને સેવાઓથી વાકેફ થાય તે માટે તેની વિગત દર્શાવતા સ્ટેન્ડી મૂકવામાં આવેલી છે. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય ઈ-પુસ્તકાલય વેબસાઈટ ઉપર 23 ભાષાના 5000 કરતાં વધુ ઈ-બુક્સ ઉપલબ્ધ છે. જેની લિંક પુસ્તકાલયની વેબસાઈટ પર મૂકવામાં આવેલી હોવાથી પુસ્તકાલયના સભાસદો પણ તેનો લાભ લઈ શકશે. પુસ્તકાલયમાં આવતા વાચકો બહોળા પ્રમાણમાં પુસ્તક મેળાનો લાભ લે તે માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આજની ભાગદોડવાળી જીંદગીમાં લોકોનું વાંચન ઘટ્યું છે. લોકો પુસ્તકને બદલે ઓનલાઈન વાંચન કરતા થયા છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના અતિરેકને કારણે વાચકોની સંખ્યામાં આંશિક ઘટાડો થતો જોવા મળે છે. આજના યુવાનોમાં વાંચનથી રાષ્ટ્ર ગૌરવ, આત્મનિર્ભરતા, નૈતિકતા અને સંસ્કૃતિ સિંચનના મૂલ્યો સંવર્ધિત થાય તે માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ-2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા ‘ગ્રંથાલય સંવાદ’ કાર્યક્રમમાં વાચકોની સંખ્યામાં 30 ટકા વધારો થાય તેવું સૂચન કરેલું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...