Tuesday, November 18, 2025

આવકવેરા વિભાગના નિવૃત આસિસ્ટન્ટ કમિશનર ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યોગદાનને ઉજાગર કરતા પુસ્તકનું વિમોચન

spot_img
Share

અમદાવાદ :આવકવેરા વિભાગના નિવૃત આસિસ્ટન્ટ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં તેમના અદ્વિતીય યોગદાનને ઉજાગર કરતા પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ એક સ્પોર્ટ્સ ક્લબમાં વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ એક વિશેષ સમારંભમાં ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યોગદાનને ઉજાગર કરતા પુસ્તક ‘ઈન સર્વિસ એન્ડ સ્પિરિટ : ધ લેગસી ઉમેશ પાઠક’ નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અજય પટેલ, ઈન્ટરનેશનલ એથ્લેટિક ફેડરેશનના સભ્ય આદિલ સુમારીવાલા, આવકવેરા કમિશનર દુર્ગાદત્ત, જયેશ મોદી અને કોકોનટ ફિલ્મ્સના રશ્મિન મજિઠિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ઉમેશ પાઠકને શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી ઉમેશ પાઠક 31 ઓક્ટોબરે નિવૃત્ત થયા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે આવકવેરા વિભાગમાં અનેક નવી શરુઆત કરી હતી અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા.તેઓને વય નિવૃતિની અનેક શુભેચ્છાઓ.

આ પ્રસંગે ઇનક્મટેક્સ ઇન્સ્પેક્ટરથી માંડી સહાયક કમિશ્નરની પોતાની સર્વિસના સેવાકાળ દરમિયાન રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ ક્ષેત્રે પોતાના અમુલ્ય યોગદાન બદલ ઇનક્મટેક્સ ડિપાર્ટમેન્ટે એમની સિદ્ધિ બિરદાવી હતી.

આ ઉપરાંત બિલિયર્ડ્સના જાણીતા ખેલાડી ગીત સેઠીએ તેમના સંદેશમાં જણાવ્યું કે શ્રી ઉમેશ પાઠકનો રમતજગતનો અભ્યાસ અને ખેલાડીઓને મદદ કરવાની તેમની લાગણી દરેક મુલાકાતમાં સ્પષ્ટ જણાતી હતી.

રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ શ્રી ઉમેશ પાઠકની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે અનેક યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે અને રમત ક્ષેત્રે તેમના યોગદાનને ભૂલવું શક્ય નથી.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે શ્રી ઉમેશ પાઠકના ક્રિકેટ ક્ષેત્રના યોગદાનની વાત કરતાં જણાવ્યું કે તેઓ પોતે ખાસ કરીને રણજી ટ્રોફીમાં પાઠકની ખેલાડી તરીકેની સફરના સાક્ષી રહ્યા છે.

આ પુસ્તકનું વિમોચન માત્ર એક અધિકારીના કામોને દર્શાવવા માટે જ ન હતું, પરંતુ તે એવો સંદેશ આપતો પ્રસંગ પણ હતો કે સરકારી સેવાની સાથે કલા અને રમતગમત સહિતના ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઉમેશભાઇ જે.પાઠક Income-Tax, CBI, NCB અને BCCI જેવા ભારતના પ્રતિષ્ઠિત સરકારી વિભાગોમાં 38 વર્ષની દીર્ઘકાલીન અને પ્રેરણાદાયી ફરજો બજાવી છે. મિર્ચી ન્યૂઝ પરિવાર તેઓને વય નિવૃત્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...