Saturday, April 25, 2026

આવકવેરા વિભાગના નિવૃત આસિસ્ટન્ટ કમિશનર ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યોગદાનને ઉજાગર કરતા પુસ્તકનું વિમોચન

spot_img
Share

અમદાવાદ :આવકવેરા વિભાગના નિવૃત આસિસ્ટન્ટ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં તેમના અદ્વિતીય યોગદાનને ઉજાગર કરતા પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ એક સ્પોર્ટ્સ ક્લબમાં વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ એક વિશેષ સમારંભમાં ઉમેશ પાઠકના કાર્યો અને સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં યોગદાનને ઉજાગર કરતા પુસ્તક ‘ઈન સર્વિસ એન્ડ સ્પિરિટ : ધ લેગસી ઉમેશ પાઠક’ નું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અજય પટેલ, ઈન્ટરનેશનલ એથ્લેટિક ફેડરેશનના સભ્ય આદિલ સુમારીવાલા, આવકવેરા કમિશનર દુર્ગાદત્ત, જયેશ મોદી અને કોકોનટ ફિલ્મ્સના રશ્મિન મજિઠિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ઉમેશ પાઠકને શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી ઉમેશ પાઠક 31 ઓક્ટોબરે નિવૃત્ત થયા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે આવકવેરા વિભાગમાં અનેક નવી શરુઆત કરી હતી અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા.તેઓને વય નિવૃતિની અનેક શુભેચ્છાઓ.

આ પ્રસંગે ઇનક્મટેક્સ ઇન્સ્પેક્ટરથી માંડી સહાયક કમિશ્નરની પોતાની સર્વિસના સેવાકાળ દરમિયાન રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ ક્ષેત્રે પોતાના અમુલ્ય યોગદાન બદલ ઇનક્મટેક્સ ડિપાર્ટમેન્ટે એમની સિદ્ધિ બિરદાવી હતી.

આ ઉપરાંત બિલિયર્ડ્સના જાણીતા ખેલાડી ગીત સેઠીએ તેમના સંદેશમાં જણાવ્યું કે શ્રી ઉમેશ પાઠકનો રમતજગતનો અભ્યાસ અને ખેલાડીઓને મદદ કરવાની તેમની લાગણી દરેક મુલાકાતમાં સ્પષ્ટ જણાતી હતી.

રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ શ્રી ઉમેશ પાઠકની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે અનેક યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે અને રમત ક્ષેત્રે તેમના યોગદાનને ભૂલવું શક્ય નથી.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે શ્રી ઉમેશ પાઠકના ક્રિકેટ ક્ષેત્રના યોગદાનની વાત કરતાં જણાવ્યું કે તેઓ પોતે ખાસ કરીને રણજી ટ્રોફીમાં પાઠકની ખેલાડી તરીકેની સફરના સાક્ષી રહ્યા છે.

આ પુસ્તકનું વિમોચન માત્ર એક અધિકારીના કામોને દર્શાવવા માટે જ ન હતું, પરંતુ તે એવો સંદેશ આપતો પ્રસંગ પણ હતો કે સરકારી સેવાની સાથે કલા અને રમતગમત સહિતના ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઉમેશભાઇ જે.પાઠક Income-Tax, CBI, NCB અને BCCI જેવા ભારતના પ્રતિષ્ઠિત સરકારી વિભાગોમાં 38 વર્ષની દીર્ઘકાલીન અને પ્રેરણાદાયી ફરજો બજાવી છે. મિર્ચી ન્યૂઝ પરિવાર તેઓને વય નિવૃત્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે….

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...