Wednesday, March 4, 2026

સાબરમતી રિવરફ્રન્ટની મજા હવે શાહીબાગ, ડફનાળા અને ઈન્દિરા બ્રિજ સુધી, ફેઝ-2નું કામ પૂરજોશમાં, જાણો ક્યારે બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટના બીજા તબક્કા હેઠળ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ કુલ 11 કિલોમીટર લંબાઈનો રોડ 1200 કરોડના ખર્ચે જાન્યુઆરી સુધીમાં નિર્માણ કરાશે.રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ફુડ પ્લાઝા, આર્ટ કલ્ચર સહિતની સુવિધા વિકસાવવામાં આવશે

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ કુલ 11 કિલોમીટર લંબાઈનો રોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, અને જાન્યુઆરી સુધીમાં બની જશે. રૂપિયા 1200 કરોડના ખર્ચથી શરૂ કરવામા આવેલા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન હશે. ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા, ફુડ પ્લાઝા, આર્ટ કલ્ચર સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ફેઝ-ટુ ની કામગીરી પુરી થયા પછી વાસણા બેરેજથી ઈન્દિરાબ્રિજ સુધી નદી કિનારે શહેરીજનો લોંગ ડ્રાઈવની મજા માણી શકશે. શહેરીજનો માટે જુદા જુદા લેવલ ઉપર સીટીંગ વ્યવસ્થા પણ કરાશે.

ફેઝ-ટુ અંતર્ગત અત્યારસુધીમાં 56 ટકા ફીઝીકલ પ્રોગ્રેસ પુરો કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ફેઝ-વનમાં 11 કિલોમીટરનો રોડ બનાવાયો હતો. ફેઝ-ટુમાં બંને તરફ 5.5 કિલોમીટર એટલે કે 11 કિલોમીટરમાં ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફેઝ-ટુની વિશેષતા એ છે કે સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટ ટાઈપની ડિઝાઈન કરી મહામ વૃક્ષો ઉગાડી એકટિવ તથા ગ્રીન ડેવલપમેન્ટ થીમ ઉપર કામગીરી થશે. શહેરીજનો માટે જુદા જુદા લેવલ ઉપર સીટીંગ વ્યવસ્થા પણ કરાશે.

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત કેમ્પ સદર બજારથી ઈન્દિરા બ્રિજ સુધી તથા પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી ઈન્દિરાબ્રિજ સુધી રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. બંને છેડે સરેરાશ 4500 મીટર એટલે કે કુલ 9000 મીટર લંબાઈ હશે. રીટેઈનીંગ વોલના પાછળના ભાગમાં રેતી,માટી પુરાણ, પ્લાઝા, એકસેસ, રેમ્પ, ઘાટ તથા ડ્રેનેજ લાઈનના ડાયવર્ઝનની કામગીરી હાલમાં ચાલી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...