Saturday, April 25, 2026

AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, શહેરના જાણીતા 27 નમકીન અને ફરસાણની બ્રાન્ડને નોટિસથી ખળભળાટ, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : AMC ના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 27 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમ મુજબ પ્રતિદિન 50 લિટરથી વધુ તેલનો ઉપયોગ કરતા હોય તેવા એકમોએ તેલના વપરાશ અને ઉપયોગમાં લેવાયેલ તેલ અંગે રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. બળેલું તેલ, બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા એકમને આપવાનું હોય છે. FSSAI ની ગાઈડલાઈન અનુસાર દૈનિક 50 લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા એકમોને આપવામાં આવેલ Improvement Notice થી ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC ના ફૂડ વિભાગ દ્વારા જુદાજુદા એકમોમાં તપાસ કરતા કેટલાક એકમમાં આ નિયમનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા લિજ્જત ખમણ મણિનગર, મહેતા સ્વીટ, મણિનગર, સમ્રાટ નમકીન, નરોડા આ ઉપરાંત રાયપુર ભજીયા, રાયપુર આસ્ટોડિયા ભજીયા, આસ્ટોડિયા ગ્વાલિયા સ્વીટ. નરોડા સહિતના 27 એકમોને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ જરૂરી રજીસ્ટર મેન્ટેન કરી નિયત એજન્સીઓને જ બળેલું તેલ આપવા તાકીદ કરી હતી.

ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, વારંવાર ખાદ્ય તેલને ગરમ કરતાં તેમાં Total Polar Compounds (TPC) વધે છે. TPC 25% થી ઉપર જેટલા વધે ત્યારે ખાદ્ય તેલ માનવ સેવન માટે અસુરક્ષિત બની જાય છે. આવા ખાદ્ય તેલના સેવનથી હૃદય રોગ, લિવર સંબંધિત રોગો થવાની સંભાવના વધી શકે છે.

ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દૈનિક 50 લીટર અથવા તેથી વધુ કુકિંગ ઓઈલ વાપરતા મોટા ફૂડ બિઝનેશ ઓપરેટર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જેમાં તેઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય તેલના ટોટલ પોલર કમ્પાઉન્ડ 25 % થી ન વધે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા અનુસાર આ યુનિટો દ્વારા વપરાશ કરેલ ખાદ્ય તેલ નિયત કરવામાં આવેલ એજન્સીઓને કે જેઓ બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલ હોય તેઓને જ આપવાનું જણાવવામાં આવેલ છે, જેથી વપરાશ કરેલ ખાદ્ય તેલ ફરીથી ખાદ્ય ચીજવસ્તુઓની બનાવટમાં ઉપયોગ ન થાય. તે અંગેનું દૈનિક રજીસ્ટર તેઓની કક્ષાએ નિભાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.

આજ રોજ AMC ના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં દૈનિક ૫૦ લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા યુનિટોની ચકાસણી કરવામાં આવી, આ ચકાસણી દરમ્યાન મળેલ ક્ષતિઓ બાબતે એક્ટની કલમ નં-૩૨ અંતર્ગત Improvement Notice આપવામાં આવેલ છે અને દિન-૭ માં સદર બાબતોના પાલન માટે સુચના આપવામાં આવેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...