Saturday, March 7, 2026

વાહનચાલકો ધ્યાન રાખજો ! અમદાવાદના આ 3 બ્રિજ શનિવારે રાતે 11થી સવારે 6 સુધી બંધ રહેશે, વૈકલ્પિક રૂટ જાહેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેઈન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રિના સમયે કેટલાક રસ્તા બંધ રહેશે. આ કામગીરીના કારણે ગાંધી બ્રિજ, શાહીબાગ અંડરપાસ અને કેડિલા બ્રિજ વાહનચાલકો માટે રાત્રિના સમયે બંધ રહેશે. શહેરીજનોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય બ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીનો સમયગાળો અલગ-અલગ છે, જેની વિગતો નીચે મુજબ છે.

1. ગાંધી બ્રિજ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી, દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. દિલ્હી દરવાજાથી ઈન્કમટેક્સ તરફ જતો બ્રિજનો એક તરફનો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો ઈન્કમટેક્સથી દિલ્હી દરવાજા તરફના બ્રિજના બીજા એક તરફના રસ્તાનો ઉપયોગ અવરજવર માટે કરી શકશે.

2. શાહીબાગ અંડરપાસ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. આ અંડરપાસ પરના રેલવેના પાટાની મજબૂતાઈ વધારવા માટે જૂની અને જર્જરિત પ્લેટો કાઢીને નવી પ્લેટો લગાવવામાં આવશે. વૈકલ્પિક રૂટ: એરપોર્ટ/ગાંધીનગર તરફ જતા, વાહનચાલકો: શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરીને ડફનાળા તરફ જઈ શકશે. એરપોર્ટ/ગાંધીનગરથી આવતા વાહનચાલકો: ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને આગળ ગમે તે રસ્તે જઈ શકશે. શાહીબાગ આસપાસથી અવરજવર કરનારા લોકો આચાર્ય મહાપ્રજ્ઞાની બ્રિજનો પણ ઉપયોગ કરી શકશે.

3. કેડિલા બ્રિજ
કામગીરીનો સમય: કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી, રાતના સમયે બંધ રહેશે. બ્રિજની ઉપરના ભાગના પિલરો પર સેગમેન્ટ (ખંડ) લગાવવાની કામગીરી ચાલુ છે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો BRTS ની બાજુમાં આવેલા બંને સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે. અન્ય વાહનચાલકો બ્રિજના એક બાજુના રસ્તાનો વારાફરતી ઉપયોગ કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...