Saturday, November 29, 2025

અમદાવાદના ફેમસ વસ્ત્રાપુર લેકમાં હવેથી પ્રવેશ ફી વસૂલાશે, સવારે 6 થી 10 ફ્રી, બાદમાં 10 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે

spot_img
Share

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. ત્યારે વસ્ત્રાપુર લેકને લઈને મોટા સમાચાર આવ્યા છે. વસ્ત્રાપુર લેકમાં એન્ટ્રી માટે હવે રૂપિયા ચૂકવવા પડશે. વસ્ત્રાપુર તળાવમાં હવે એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જે એન્ટ્રી ફી 1 ડિસેમ્બર 2026થી લાગુ પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે વસ્ત્રાપુર તળાવમાં 10 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. સવારે 6થી 10 સુધી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સવારે 10 થી બપોરે 12 અને બપોરે 2 થી રાત્રે 10 સુધી પુખ્ત વયના લોકો માટે રૂ. 10 ટિકિટ રહેશે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગ માટે માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે 5 રૂપિયા એન્ટ્રી ફી રહેશે, જ્યારે 65 વર્ષથી ઉપરનાં નાગરિકો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે. જોકે, ઓળખપત્ર બતાવવું પડશે.

દોઢ વર્ષના રિનોવેશન બાદ આખરે વસ્ત્રાપુર લેકને ખુલ્લું મુકવામાં આવશે. હવે વસ્ત્રાપુર લેકમાં પણ પ્રવેશ ફી લેવામાં આવશે. દરેક મુલાકાતીઓને લેકની મુલાકાત માટે એન્ટ્રી ફી ચૂકવવી પડશે. તો જ લેકમાં એન્ટ્રી મળી શકશે. આ લેકમાં વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન સ્પેસ અને ફૂલછોડની વ્યવસ્થા કરાઈ છે.

સવારે 6:00 થી 10 સુધી નિઃશુલ્ક પ્રવેશ
સવારે 10 થી બપોરે 12 અને બપોરે 2 થી રાત્રે 10 સુધી 10 રૂપિયાની ફી ચૂકવીને એન્ટ્રી મળશે
દિવ્યાંગ વ્યક્તિ, પાંચ વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ
આગામી 1 જાન્યુઆરી 2026 થી પ્રવેશ ફીનું અમલીકરણ થશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...