Saturday, March 7, 2026

નારણપુરામાં અંકુર ક્રોસ રોડથી પલ્લવ ક્રોસ રોડ હવે “જીતો અમદાવાદ માર્ગ” તરીકે ઓળખાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વોર્ડમાં AMC દ્વારા અંકુર ક્રોસ રોડથી પલ્લવ ક્રોસ રોડનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ માર્ગને હવે “જીતો અમદાવાદ માર્ગ” તરીકે ઓળખવામાં આવશે.જેના નામકરણ સમારોહનું આયોજન 2 ડિસેમ્બર 2025ના અંકુર ચાર રસ્તા ખાતે માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે યોજવામાં આવ્યો, આ પ્રસંગ જીતો અમદાવાદ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન હતું. આ કાર્યક્રમમાં જીતોના અગ્રણીઓ તેમજ AMCના મુખ્ય પદાધિકારીઓ સાથે 300થી વધુ મેમ્બર તેમજ સ્થાનિક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં માનનીય મેયરશ્રી એ જીતોના કાર્યની સરાહના કરી અને માનનીય પ્રધામમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ને અપનાવી વિકાસમાં સહયોગી બનવા અપીલ કરી. આ પ્રસંગે ચેરમેન રાજીવ છાજેરે & ચીફ સેક્રેટરી જૈનિક વકીલ જણાવ્યું કે આ માર્ગને સુંદર રીતે વિકસિત કરીશું, જ્યાં જરૂર પડશે ત્યાં આ માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવીશુ સાથે સાથે શહેરના વિકાસમાં ચોક્કસ સહયોગ આપીશું, તેમને વધુમાં જણાવ્યું કે નાના ફેરિયાઓ તેમજ લારીવાળાના વ્યવસાય વધે તે દિશામાં પણ સંસ્થા કાર્ય કરશે.

આ અવસરે નારણપુરાના ધારાસભ્ય જિતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના દંડક શીતલ ડાગા, ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રીતેશભાઈ મહેતા, જીતો એપેક્સ ચેરમેન ગણપતરાજ ચૌધરી, જીતો એપેક્સ વાઇસ ચેરમેન હિમાંશુ શાહ, શ્રમણ આરોગ્યમ પ્રમુખ મલય શાહ, જીતો ગુજરાત ઝોનના ચેરમેન સંજીવ છાજેર તેમજ સ્ટિયરિંગ કમિટીના સભ્યો હસમુખ ગઢેચા, હેમંત શાહ, પ્રકાશ સંઘવી, જીગીશ દોશી, જીગીશ શાહ, કુશલ ભણસાલી, ચેતન શાહ, અસિત શાહ, ઋષભ પટેલ, જીતો લેડીઝ વિંગ અને યૂથવિંગના પદાધિકારી હાજર રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...