Sunday, March 1, 2026

નવા વાડજના ગણેશ શિક્ષણ સંકુલ ખાતે શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં શિક્ષકદિન દાયકાઓથી ઉજવાય છે.આજે શહેરના નવા વાડજ ખાતે આવેલ શ્રી ગણેશ શિક્ષણ સંકુલ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકદિન નિમિત્તે શિક્ષક વંદના સ્વરૂપે ડાન્સ કરી તથા શિક્ષકનું મહાત્મ્ય સમજાવતું વકતૃત્વ આપી શાળાના શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આખો દિવસ બાળ ગુરૂઓના કિલ્લોલથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વિદ્યાર્થીઓના આવા અદભૂત આદરથી શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વિવિધ વિષયના વિષય શિક્ષક બનીને પોતાના મિત્રો સમક્ષ લેક્ચર લીધા હતા. વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે કોઈ ટોપિક સમજાવતા જોઈ શિક્ષકોને પણ ગર્વની લાગણી અનુભવાઈ હતી. સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રેન્ક આપવામાં આવેલ તથા સર્ટીફીકેટ આપી તેમને પ્રોત્સાહિત કરેલ. શિક્ષક બનવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાથી લઈને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે અન્ય ઘણી બધી કામગીરી માટે શાળાના શિક્ષકગણની ઘણા દિવસોની જહેમત તથા વિદ્યાર્થીઓની મહેનતને શાળાના ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેકટર જસ્મીનાબેન પટેલે બિરદાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...