Wednesday, January 14, 2026

નવા વાડજના ગણેશ શિક્ષણ સંકુલ ખાતે શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં શિક્ષકદિન દાયકાઓથી ઉજવાય છે.આજે શહેરના નવા વાડજ ખાતે આવેલ શ્રી ગણેશ શિક્ષણ સંકુલ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકદિન નિમિત્તે શિક્ષક વંદના સ્વરૂપે ડાન્સ કરી તથા શિક્ષકનું મહાત્મ્ય સમજાવતું વકતૃત્વ આપી શાળાના શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આખો દિવસ બાળ ગુરૂઓના કિલ્લોલથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વિદ્યાર્થીઓના આવા અદભૂત આદરથી શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વિવિધ વિષયના વિષય શિક્ષક બનીને પોતાના મિત્રો સમક્ષ લેક્ચર લીધા હતા. વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે કોઈ ટોપિક સમજાવતા જોઈ શિક્ષકોને પણ ગર્વની લાગણી અનુભવાઈ હતી. સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રેન્ક આપવામાં આવેલ તથા સર્ટીફીકેટ આપી તેમને પ્રોત્સાહિત કરેલ. શિક્ષક બનવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાથી લઈને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે અન્ય ઘણી બધી કામગીરી માટે શાળાના શિક્ષકગણની ઘણા દિવસોની જહેમત તથા વિદ્યાર્થીઓની મહેનતને શાળાના ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેકટર જસ્મીનાબેન પટેલે બિરદાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...