Sunday, January 25, 2026

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, આ વિસ્તારમાં ફિલ્મી સ્ટાઈલે કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી

spot_img
Share

અમદાવાદ : મેટ્રોસિટી અમદાવાદથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં શહેરમાં જાણે પોલીસનો કે કાયદાનો કોઈપણ પ્રકારનો ડર જ ના હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઈપ અને ડંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ સફેદ રંગની કારમાં આવેલા કેટલાક શખ્સોએ બ્લેક કલરની થાર કારને રસ્તા પર અટકાવી હતી. ત્યારબાદ અચાનક થાર કારના કાચ તોડવા લાગ્યા અને ભારે તોડફોડ કરી. આ સમગ્ર ઘટના દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા.

તોડફોડ દરમિયાન ચાલકની સુરક્ષા વિશે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ફૂટેજમાં જોવા મળે છે કે થાર ચાલક હુમલાથી બચવાના પ્રયત્ન કરી રહ્યો હતો. તોડફોડ પૂર્ણ થયા બાદ ચારેય હુમલાખોર પોતાની સફેદ કારમાં બેસીને ઘટનાસ્થળેથી ઝડપથી ફરાર થઈ ગયા. હુમલો કોઈ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો હોય, પરંતુ જાહેર રસ્તા પર આ રીતે કાયદાને હાથમાં લેવું ગંભીર બાબત છે. ઘટના સમયે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

પોલીસે ગાડીના નંબર ના આધારે આરોપીઓને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ હુમલો કોઈ જૂની અદાવતને કારણે થયો છે કે માત્ર રસ્તા પરની બોલાચાલી ની ઘટના છે, તે અંગે પોલીસ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ભરચક રહેતા વાસણા વિસ્તારમાં આ પ્રકારે ખાનગી વાહનમાં આવીને તોડફોડ અને અપહરણ જેવો પ્રયાસ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કયા ઈરાદે કાર ચાલક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો? શું લૂંટ કે અપહરણનો હતો પ્રયાસ? સવાલ અનેક છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...