Wednesday, January 14, 2026

‘લાલબાગ ચા રાજા’ને અર્પણ કરાયેલ સોના-ચાંદીની હરાજીથી 1.25 કરોડની કમાણી, જાણો સમગ્ર વિગતો

spot_img
Share

મુંબઈ : સમગ્ર દેશમાં સૌથી વિખ્યાત ગણાતા લાલબાગ ચા રાજાના ગણેશોત્સવમાં ભેટમાં આવેલી વિવિધ ચીજોનાં હરાજીમાં રુા. 1.25 કરોડ મળ્યા છે. ગણપતિ મંડળને કુલ 6.25 કરોડની આવક થઇ હોવાનું જાહેર થયું છે.

ગણપતિ મહોત્સવ તાજેતરમાં જ પૂર્ણ થયો હતો. લાલબાગ ચા રાજા ગણેશોત્સવમાં ભેટમાં મળેલી વિવિધ ચીજોનું ગઇકાલે હરાજી કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ બાળાસાહેબ ખાંભલેએ જણાવ્યું કે વિવિધ ચીજો પેટે રુા. 1.25 કરોડ મળ્યા છે. 2019માં પણ આટલી જ આવક થઇ હતી.

રોકડ ભેટની રકમ રુા. 5 કરોડથી પણ વધી ગઇ છે એટલે આ વખતે મંડળને કુલ રુા. 6.25 કરોડ જેવી આવક થઇ છે. ઓકશનમાં સોનાના લાડુની હરાજીમાં રુા. 60.03 લાખ મળ્યા હતા. 1.25 કિલોનો આ લાડુ એક ભાવિકે 60 લાખથી વધુની રકમમાં ખરીદયો હતો. આ સિવાય સોનાનું નેકલેસ 8.55 લાખમાં વહેચાયુ હતું અન્ય એક નેકલેસના 3.20 લાખ મળ્યા હતા. સોનાની લગડીના રુા. 5.77 લાખ મળ્યા હતા. ગણપતિ રાજાને એક ભાવિકે મોટર સાઈકલ પણ ગિફટ કર્યું હતું તેના રુા. 77 હજાર મળ્યા હતા.

આ વખતે ભાવિકોએ ગણપતિ ભગવાનને સોના જડીત પગરખા, અનેક મૂર્તિ, સોના-ચાંદી જડીત નાના-મોટા મોદક, વીંટી સહિતની ચીજો ભેટમાં ધરી હતી. સોના-ચાંદીના ગઇકાલના ભાવને આધારે ઓકશન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન સાડા પાંચ કિલો સોનુ અને 60 કિલો જેટલી ચાંદી ભાવિકોએ ભેટ ચડાવી હતી. 2018માં મંડળને 8 કરોડ જેવી રકમ ભેટમાં મળી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...