Friday, November 14, 2025

‘લાલબાગ ચા રાજા’ને અર્પણ કરાયેલ સોના-ચાંદીની હરાજીથી 1.25 કરોડની કમાણી, જાણો સમગ્ર વિગતો

spot_img
Share

મુંબઈ : સમગ્ર દેશમાં સૌથી વિખ્યાત ગણાતા લાલબાગ ચા રાજાના ગણેશોત્સવમાં ભેટમાં આવેલી વિવિધ ચીજોનાં હરાજીમાં રુા. 1.25 કરોડ મળ્યા છે. ગણપતિ મંડળને કુલ 6.25 કરોડની આવક થઇ હોવાનું જાહેર થયું છે.

ગણપતિ મહોત્સવ તાજેતરમાં જ પૂર્ણ થયો હતો. લાલબાગ ચા રાજા ગણેશોત્સવમાં ભેટમાં મળેલી વિવિધ ચીજોનું ગઇકાલે હરાજી કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ બાળાસાહેબ ખાંભલેએ જણાવ્યું કે વિવિધ ચીજો પેટે રુા. 1.25 કરોડ મળ્યા છે. 2019માં પણ આટલી જ આવક થઇ હતી.

રોકડ ભેટની રકમ રુા. 5 કરોડથી પણ વધી ગઇ છે એટલે આ વખતે મંડળને કુલ રુા. 6.25 કરોડ જેવી આવક થઇ છે. ઓકશનમાં સોનાના લાડુની હરાજીમાં રુા. 60.03 લાખ મળ્યા હતા. 1.25 કિલોનો આ લાડુ એક ભાવિકે 60 લાખથી વધુની રકમમાં ખરીદયો હતો. આ સિવાય સોનાનું નેકલેસ 8.55 લાખમાં વહેચાયુ હતું અન્ય એક નેકલેસના 3.20 લાખ મળ્યા હતા. સોનાની લગડીના રુા. 5.77 લાખ મળ્યા હતા. ગણપતિ રાજાને એક ભાવિકે મોટર સાઈકલ પણ ગિફટ કર્યું હતું તેના રુા. 77 હજાર મળ્યા હતા.

આ વખતે ભાવિકોએ ગણપતિ ભગવાનને સોના જડીત પગરખા, અનેક મૂર્તિ, સોના-ચાંદી જડીત નાના-મોટા મોદક, વીંટી સહિતની ચીજો ભેટમાં ધરી હતી. સોના-ચાંદીના ગઇકાલના ભાવને આધારે ઓકશન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન સાડા પાંચ કિલો સોનુ અને 60 કિલો જેટલી ચાંદી ભાવિકોએ ભેટ ચડાવી હતી. 2018માં મંડળને 8 કરોડ જેવી રકમ ભેટમાં મળી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...