Saturday, February 7, 2026

‘લાલબાગ ચા રાજા’ને અર્પણ કરાયેલ સોના-ચાંદીની હરાજીથી 1.25 કરોડની કમાણી, જાણો સમગ્ર વિગતો

spot_img
Share

મુંબઈ : સમગ્ર દેશમાં સૌથી વિખ્યાત ગણાતા લાલબાગ ચા રાજાના ગણેશોત્સવમાં ભેટમાં આવેલી વિવિધ ચીજોનાં હરાજીમાં રુા. 1.25 કરોડ મળ્યા છે. ગણપતિ મંડળને કુલ 6.25 કરોડની આવક થઇ હોવાનું જાહેર થયું છે.

ગણપતિ મહોત્સવ તાજેતરમાં જ પૂર્ણ થયો હતો. લાલબાગ ચા રાજા ગણેશોત્સવમાં ભેટમાં મળેલી વિવિધ ચીજોનું ગઇકાલે હરાજી કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ બાળાસાહેબ ખાંભલેએ જણાવ્યું કે વિવિધ ચીજો પેટે રુા. 1.25 કરોડ મળ્યા છે. 2019માં પણ આટલી જ આવક થઇ હતી.

રોકડ ભેટની રકમ રુા. 5 કરોડથી પણ વધી ગઇ છે એટલે આ વખતે મંડળને કુલ રુા. 6.25 કરોડ જેવી આવક થઇ છે. ઓકશનમાં સોનાના લાડુની હરાજીમાં રુા. 60.03 લાખ મળ્યા હતા. 1.25 કિલોનો આ લાડુ એક ભાવિકે 60 લાખથી વધુની રકમમાં ખરીદયો હતો. આ સિવાય સોનાનું નેકલેસ 8.55 લાખમાં વહેચાયુ હતું અન્ય એક નેકલેસના 3.20 લાખ મળ્યા હતા. સોનાની લગડીના રુા. 5.77 લાખ મળ્યા હતા. ગણપતિ રાજાને એક ભાવિકે મોટર સાઈકલ પણ ગિફટ કર્યું હતું તેના રુા. 77 હજાર મળ્યા હતા.

આ વખતે ભાવિકોએ ગણપતિ ભગવાનને સોના જડીત પગરખા, અનેક મૂર્તિ, સોના-ચાંદી જડીત નાના-મોટા મોદક, વીંટી સહિતની ચીજો ભેટમાં ધરી હતી. સોના-ચાંદીના ગઇકાલના ભાવને આધારે ઓકશન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન સાડા પાંચ કિલો સોનુ અને 60 કિલો જેટલી ચાંદી ભાવિકોએ ભેટ ચડાવી હતી. 2018માં મંડળને 8 કરોડ જેવી રકમ ભેટમાં મળી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...