Saturday, February 28, 2026

કોરોના રાજકોટ LIVE: શહેરમાં 9 દર્દી સારવાર હેઠળ, ત્રીજી લહેરમાં સૌથી વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા

spot_img
Share

રાજકોટએક કલાક પહેલા

કૉપી લિંકપ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ગત વર્ષે માર્ચમાં બીજી લહેરના ભણકારા શરૂ થયા હતા આ વર્ષે ત્રીજી લહેર પણ વીતી ગઈ

રાજકોટ શહેરમાં કોરોનાકેસ સતત ઘટી રહ્યા છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 9 જ રહી છે. તેમજ આજ સુધીમાં રિકવરી રેટ 99.20 ટકા નોંધાયો છે. તેમજ કુલ કેસની સંખ્યા 63681 પર પહોંચી છે. આજ સુધીમાં 17 લાખ 48 હજાર 619 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ પોઝિટિવ રેટ 3.64 ટકા નોંધાયો છે. ગઇકાલે એક દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતીગત વર્ષની વાત કરીએ તો માર્ચ મહિનામાં હજુ બીજી લહેરના ભણકારા વાગી રહ્યા હતા અને માર્ચનો અંત આવતા કેસની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી. જ્યારે તેના એક વર્ષ બાદ એટલે કે ચાલુ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રીજી લહેર પણ પૂરી થઈ ગઈ છે અને જીવન ફરી પૂર્વવત થવા લાગ્યું છે. ત્રીજી લહેરમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે, દર્દીઓ ખૂબ ગંભીર બનતા ન હતા અને હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતી. જોકે ત્રીજી લહેર દરમિયાન વધુમાં વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા.

ત્રીજી લહેરમાં 20 હજારથી વધુ કેસ નોંધાયાત્રીજી લહેર દરમિયાન રાજકોટ શહેરમાં 20,000થી વધુ કેસ નોંધાયા હતા કોઇ દિવસ પોઝિટિવિટી રેશિયો 30 ટકા જેટલો વધી ગયો હતો અને સળંગ પોઝિટિવિટી રેશિયો 8 ટકાથી વધુનો છે જે બીજી લહેર કરતા ઘણો વધારે હતો. જોકે મોટાભાગના કેસમાં વેક્સિનેશન થઈ ચૂક્યું હોવાથી 95 ટકાથી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા અને માત્ર 5 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હતી.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...