Thursday, November 13, 2025

કોરોના રાજકોટ LIVE: શહેરમાં 9 દર્દી સારવાર હેઠળ, ત્રીજી લહેરમાં સૌથી વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા

spot_img
Share

રાજકોટએક કલાક પહેલા

કૉપી લિંકપ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ગત વર્ષે માર્ચમાં બીજી લહેરના ભણકારા શરૂ થયા હતા આ વર્ષે ત્રીજી લહેર પણ વીતી ગઈ

રાજકોટ શહેરમાં કોરોનાકેસ સતત ઘટી રહ્યા છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 9 જ રહી છે. તેમજ આજ સુધીમાં રિકવરી રેટ 99.20 ટકા નોંધાયો છે. તેમજ કુલ કેસની સંખ્યા 63681 પર પહોંચી છે. આજ સુધીમાં 17 લાખ 48 હજાર 619 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ પોઝિટિવ રેટ 3.64 ટકા નોંધાયો છે. ગઇકાલે એક દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતીગત વર્ષની વાત કરીએ તો માર્ચ મહિનામાં હજુ બીજી લહેરના ભણકારા વાગી રહ્યા હતા અને માર્ચનો અંત આવતા કેસની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી. જ્યારે તેના એક વર્ષ બાદ એટલે કે ચાલુ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રીજી લહેર પણ પૂરી થઈ ગઈ છે અને જીવન ફરી પૂર્વવત થવા લાગ્યું છે. ત્રીજી લહેરમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે, દર્દીઓ ખૂબ ગંભીર બનતા ન હતા અને હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતી. જોકે ત્રીજી લહેર દરમિયાન વધુમાં વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા.

ત્રીજી લહેરમાં 20 હજારથી વધુ કેસ નોંધાયાત્રીજી લહેર દરમિયાન રાજકોટ શહેરમાં 20,000થી વધુ કેસ નોંધાયા હતા કોઇ દિવસ પોઝિટિવિટી રેશિયો 30 ટકા જેટલો વધી ગયો હતો અને સળંગ પોઝિટિવિટી રેશિયો 8 ટકાથી વધુનો છે જે બીજી લહેર કરતા ઘણો વધારે હતો. જોકે મોટાભાગના કેસમાં વેક્સિનેશન થઈ ચૂક્યું હોવાથી 95 ટકાથી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા અને માત્ર 5 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હતી.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...