Wednesday, January 14, 2026

કોરોના રાજકોટ LIVE: શહેરમાં 9 દર્દી સારવાર હેઠળ, ત્રીજી લહેરમાં સૌથી વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા

spot_img
Share

રાજકોટએક કલાક પહેલા

કૉપી લિંકપ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ગત વર્ષે માર્ચમાં બીજી લહેરના ભણકારા શરૂ થયા હતા આ વર્ષે ત્રીજી લહેર પણ વીતી ગઈ

રાજકોટ શહેરમાં કોરોનાકેસ સતત ઘટી રહ્યા છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 9 જ રહી છે. તેમજ આજ સુધીમાં રિકવરી રેટ 99.20 ટકા નોંધાયો છે. તેમજ કુલ કેસની સંખ્યા 63681 પર પહોંચી છે. આજ સુધીમાં 17 લાખ 48 હજાર 619 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ પોઝિટિવ રેટ 3.64 ટકા નોંધાયો છે. ગઇકાલે એક દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતીગત વર્ષની વાત કરીએ તો માર્ચ મહિનામાં હજુ બીજી લહેરના ભણકારા વાગી રહ્યા હતા અને માર્ચનો અંત આવતા કેસની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી. જ્યારે તેના એક વર્ષ બાદ એટલે કે ચાલુ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રીજી લહેર પણ પૂરી થઈ ગઈ છે અને જીવન ફરી પૂર્વવત થવા લાગ્યું છે. ત્રીજી લહેરમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે, દર્દીઓ ખૂબ ગંભીર બનતા ન હતા અને હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી ન હતી. જોકે ત્રીજી લહેર દરમિયાન વધુમાં વધુ 99 દર્દી એકસાથે દાખલ રહ્યા હતા.

ત્રીજી લહેરમાં 20 હજારથી વધુ કેસ નોંધાયાત્રીજી લહેર દરમિયાન રાજકોટ શહેરમાં 20,000થી વધુ કેસ નોંધાયા હતા કોઇ દિવસ પોઝિટિવિટી રેશિયો 30 ટકા જેટલો વધી ગયો હતો અને સળંગ પોઝિટિવિટી રેશિયો 8 ટકાથી વધુનો છે જે બીજી લહેર કરતા ઘણો વધારે હતો. જોકે મોટાભાગના કેસમાં વેક્સિનેશન થઈ ચૂક્યું હોવાથી 95 ટકાથી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા અને માત્ર 5 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી હતી.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...