Tuesday, February 24, 2026

ત્રિરંગા યાત્રા: પંજાબમાં આપની ભવ્ય જીત બાદ જામનગરમાં યાત્રાનું આયોજન કરાયું, દિલ્હી આપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

spot_img
Share

જામનગર10 મિનિટ પહેલા

કૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયા

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં ગુજરાત પ્રદેશ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રા ગુજરાતના જિલ્લાઓમાં કાઢવામાં આવી રહી છે ત્યારે આજ રોજ જામનગરમાં ત્રિરંગા યાત્રા પહોંચી હતી અને જામનગરના રામેશ્વરનગર ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. શહેરના ચાંદી બજાર સેન્ટ્રલ બેન્ક હવાઈ ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા નીકળી હતી.

જામનગરમાં આજરોજ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ સહિતના આપ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા હતા. જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમુર, મહિલા પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને ત્રિરંગા યાત્રા શહેરમાં ફરી હતી.

આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે દિલ્હીની જનતા અને પંજાબની જનતાએ આમ આદમી મોકો અને ટેકો આપ્યો છે ત્યારે નવી રાજનીતિની શરૂઆત થઇ છે. ત્યારે દરેક જિલ્લા અને શહેરમાં વિધાનસભા દીઠ ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં અમે બે દિવસથી 22 જિલ્લામાં ત્રિરંગા યાત્રા પૂર્ણ કરી છે.આગામી દિવસોમાં 182 વિધાનસભા દિઠ ત્રિરંગા યાત્રા નીકળશે જેથી કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના જાગે અને ભારત શું છે ભારતનો ઇતિહાસ શું છે તે ખબર પડે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...