Saturday, November 8, 2025

અમદાવાદના બગીચા રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રખાશે, AMTS-BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા હિટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા 283 બગીચા રાત્રિના 11 કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં રેડ એલર્ટ જાહેર થાય એ સમય દરમિયાન તમામ કન્સ્ટ્રકશન સાઈટ બપોરે 12 થી 4 કલાક સુધી એસ્ટેટ વિભાગ દ્વારા બંધ રખાવાશે.

AMC દ્વારા હવામાન વિભાગ સાથે સંકલન કરી દૈનિક ધોરણે પાંચ દિવસના તાપમાન અંગે પૂર્વાનુમાન મેળવી વિવિધ માધ્યમની મદદથી લોકોને માહિતગાર કરવામા આવે છે.તમામ અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તેમજ આંગણવાડીઓ ખાતે ORS ઉપલબ્ધ કરાવાયા છે.વિવિધ વિસ્તારોમાં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી પાંચસો પાણીની પરબ શરુ કરવામા આવી છે.

31 AMTS ડેપો ઉપરાંત BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર તરફથી કરાઈ છે.દસ લાખ જેટલા ORS પેકેટનુ વિતરણ ઉનાળાની મોસમમાં કરાશે. મ્યુનિ.હોસ્પિટલ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થસેન્ટર ખાતે ગરમીને લગતી બિમારી તેમજ હિટસ્ટ્રોકના કેસના દર્દીઓને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા તંત્રે કરી છે.આંગણવાડી સવારે 11 કલાક સુધી જયારે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત કલાક સુધી ખુલ્લા રખાશે.સફાઈ કામદારોનો સમય બપોરે ત્રણ કલાકની જગ્યાએ સાડા ચાર કલાક સુધીનો કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...