Thursday, January 15, 2026

અમદાવાદના બગીચા રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રખાશે, AMTS-BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા હિટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા 283 બગીચા રાત્રિના 11 કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં રેડ એલર્ટ જાહેર થાય એ સમય દરમિયાન તમામ કન્સ્ટ્રકશન સાઈટ બપોરે 12 થી 4 કલાક સુધી એસ્ટેટ વિભાગ દ્વારા બંધ રખાવાશે.

AMC દ્વારા હવામાન વિભાગ સાથે સંકલન કરી દૈનિક ધોરણે પાંચ દિવસના તાપમાન અંગે પૂર્વાનુમાન મેળવી વિવિધ માધ્યમની મદદથી લોકોને માહિતગાર કરવામા આવે છે.તમામ અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તેમજ આંગણવાડીઓ ખાતે ORS ઉપલબ્ધ કરાવાયા છે.વિવિધ વિસ્તારોમાં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી પાંચસો પાણીની પરબ શરુ કરવામા આવી છે.

31 AMTS ડેપો ઉપરાંત BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર તરફથી કરાઈ છે.દસ લાખ જેટલા ORS પેકેટનુ વિતરણ ઉનાળાની મોસમમાં કરાશે. મ્યુનિ.હોસ્પિટલ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થસેન્ટર ખાતે ગરમીને લગતી બિમારી તેમજ હિટસ્ટ્રોકના કેસના દર્દીઓને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા તંત્રે કરી છે.આંગણવાડી સવારે 11 કલાક સુધી જયારે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત કલાક સુધી ખુલ્લા રખાશે.સફાઈ કામદારોનો સમય બપોરે ત્રણ કલાકની જગ્યાએ સાડા ચાર કલાક સુધીનો કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...