Thursday, September 18, 2025

132 ફુટ રીંગ રોડ ઉપર મોટાભાગની LED સ્ટ્રીટ લાઈટો બંધ અને ચાલું છે એ પણ નામની…!!

Share

Share

અમદાવાદ : શહેરના હાર્દ સમા 132 ફુટ રીંગ રોડ પર વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ્ટ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જો આ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો જાગૃત યુવાન દ્વારા આંદોલન અને કોર્ટ કેસ કરવાની ચીમકી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હાર્દ સમા એટલે એરપોર્ટથી આવતા મુસાફરો માટે એન્ટ્રી સમાન RTO થી અખબારનગર સર્કલ અને નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઈટો મોટાભાગની છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.અને જે ચાલું હાલતમાં છે એ પણ નામ પુરતી ચાલું છે, મતલબ ચાલું સ્ટ્રીટ લાઈટોથી પ્રકાશ કે અજવાળામાં કોઈ જાજો ફરક પડતો નથી.એમાંય ખાસ કરીને નવા વાડજ વિસ્તારમાં ભાવસાર હોસ્ટેલથી વ્યાસવાડી જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટો એક મહિનાથી વધુ સમયથી બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત નારણપુરામાં પ્રગતિનગર-પલ્લવબ્રીજ પાસે બ્રીજનું કામ બંધ હોવાને કારણે છેલ્લાં બે-ચાર મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ઉપરોકત વિસ્તારોમાં અંધારપટ છવાયેલો રહે છે, મુખ્ય માર્ગ હોવાથી રાત-દિવસ ધમધમતો હોય છે, ખાસ કરીને રાતે મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરતા હોય છે, હજુ સુધી અંધારાનો લાભ લઈ કોઈ એવો બનાવ બન્યો નથી, પરંતુ લોકોની સેફટી માટે તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય એમાં જ લોકોનું હિત સમાયેલ છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા થોડાક વર્ષો પહેલા વીજળી બચત અભિયાનના ઓઠા હેઠળ સમગ્ર શહેરની ચાલુ સ્ટ્રીટ લાઈટો, સોડીયમ લાઈટો રાતોરાત ઉતારી નાખવામાં આવી તે સ્ટ્રીટ લાઈટો, સોડીયમો ક્યાં પગ કરી ગઈ તે આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું નથી તેની જગ્યાએ ઓછો પ્રકાશ ફેલાવતી એલઈડી લાઈટો નાખવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...