Wednesday, January 7, 2026

132 ફુટ રીંગ રોડ ઉપર મોટાભાગની LED સ્ટ્રીટ લાઈટો બંધ અને ચાલું છે એ પણ નામની…!!

spot_img
Share

અમદાવાદ : શહેરના હાર્દ સમા 132 ફુટ રીંગ રોડ પર વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ્ટ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જો આ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો જાગૃત યુવાન દ્વારા આંદોલન અને કોર્ટ કેસ કરવાની ચીમકી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હાર્દ સમા એટલે એરપોર્ટથી આવતા મુસાફરો માટે એન્ટ્રી સમાન RTO થી અખબારનગર સર્કલ અને નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઈટો મોટાભાગની છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.અને જે ચાલું હાલતમાં છે એ પણ નામ પુરતી ચાલું છે, મતલબ ચાલું સ્ટ્રીટ લાઈટોથી પ્રકાશ કે અજવાળામાં કોઈ જાજો ફરક પડતો નથી.એમાંય ખાસ કરીને નવા વાડજ વિસ્તારમાં ભાવસાર હોસ્ટેલથી વ્યાસવાડી જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટો એક મહિનાથી વધુ સમયથી બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત નારણપુરામાં પ્રગતિનગર-પલ્લવબ્રીજ પાસે બ્રીજનું કામ બંધ હોવાને કારણે છેલ્લાં બે-ચાર મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ઉપરોકત વિસ્તારોમાં અંધારપટ છવાયેલો રહે છે, મુખ્ય માર્ગ હોવાથી રાત-દિવસ ધમધમતો હોય છે, ખાસ કરીને રાતે મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરતા હોય છે, હજુ સુધી અંધારાનો લાભ લઈ કોઈ એવો બનાવ બન્યો નથી, પરંતુ લોકોની સેફટી માટે તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય એમાં જ લોકોનું હિત સમાયેલ છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા થોડાક વર્ષો પહેલા વીજળી બચત અભિયાનના ઓઠા હેઠળ સમગ્ર શહેરની ચાલુ સ્ટ્રીટ લાઈટો, સોડીયમ લાઈટો રાતોરાત ઉતારી નાખવામાં આવી તે સ્ટ્રીટ લાઈટો, સોડીયમો ક્યાં પગ કરી ગઈ તે આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું નથી તેની જગ્યાએ ઓછો પ્રકાશ ફેલાવતી એલઈડી લાઈટો નાખવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...