Sunday, November 9, 2025

132 ફુટ રીંગ રોડ ઉપર મોટાભાગની LED સ્ટ્રીટ લાઈટો બંધ અને ચાલું છે એ પણ નામની…!!

spot_img
Share

અમદાવાદ : શહેરના હાર્દ સમા 132 ફુટ રીંગ રોડ પર વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ્ટ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જો આ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો જાગૃત યુવાન દ્વારા આંદોલન અને કોર્ટ કેસ કરવાની ચીમકી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હાર્દ સમા એટલે એરપોર્ટથી આવતા મુસાફરો માટે એન્ટ્રી સમાન RTO થી અખબારનગર સર્કલ અને નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઈટો મોટાભાગની છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.અને જે ચાલું હાલતમાં છે એ પણ નામ પુરતી ચાલું છે, મતલબ ચાલું સ્ટ્રીટ લાઈટોથી પ્રકાશ કે અજવાળામાં કોઈ જાજો ફરક પડતો નથી.એમાંય ખાસ કરીને નવા વાડજ વિસ્તારમાં ભાવસાર હોસ્ટેલથી વ્યાસવાડી જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટો એક મહિનાથી વધુ સમયથી બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત નારણપુરામાં પ્રગતિનગર-પલ્લવબ્રીજ પાસે બ્રીજનું કામ બંધ હોવાને કારણે છેલ્લાં બે-ચાર મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ઉપરોકત વિસ્તારોમાં અંધારપટ છવાયેલો રહે છે, મુખ્ય માર્ગ હોવાથી રાત-દિવસ ધમધમતો હોય છે, ખાસ કરીને રાતે મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરતા હોય છે, હજુ સુધી અંધારાનો લાભ લઈ કોઈ એવો બનાવ બન્યો નથી, પરંતુ લોકોની સેફટી માટે તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય એમાં જ લોકોનું હિત સમાયેલ છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા થોડાક વર્ષો પહેલા વીજળી બચત અભિયાનના ઓઠા હેઠળ સમગ્ર શહેરની ચાલુ સ્ટ્રીટ લાઈટો, સોડીયમ લાઈટો રાતોરાત ઉતારી નાખવામાં આવી તે સ્ટ્રીટ લાઈટો, સોડીયમો ક્યાં પગ કરી ગઈ તે આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું નથી તેની જગ્યાએ ઓછો પ્રકાશ ફેલાવતી એલઈડી લાઈટો નાખવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...