Sunday, February 15, 2026

132 ફુટ રીંગ રોડ ઉપર મોટાભાગની LED સ્ટ્રીટ લાઈટો બંધ અને ચાલું છે એ પણ નામની…!!

spot_img
Share

અમદાવાદ : શહેરના હાર્દ સમા 132 ફુટ રીંગ રોડ પર વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ્ટ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જો આ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો જાગૃત યુવાન દ્વારા આંદોલન અને કોર્ટ કેસ કરવાની ચીમકી આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હાર્દ સમા એટલે એરપોર્ટથી આવતા મુસાફરો માટે એન્ટ્રી સમાન RTO થી અખબારનગર સર્કલ અને નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઈટો મોટાભાગની છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.અને જે ચાલું હાલતમાં છે એ પણ નામ પુરતી ચાલું છે, મતલબ ચાલું સ્ટ્રીટ લાઈટોથી પ્રકાશ કે અજવાળામાં કોઈ જાજો ફરક પડતો નથી.એમાંય ખાસ કરીને નવા વાડજ વિસ્તારમાં ભાવસાર હોસ્ટેલથી વ્યાસવાડી જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટો એક મહિનાથી વધુ સમયથી બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત નારણપુરામાં પ્રગતિનગર-પલ્લવબ્રીજ પાસે બ્રીજનું કામ બંધ હોવાને કારણે છેલ્લાં બે-ચાર મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ઉપરોકત વિસ્તારોમાં અંધારપટ છવાયેલો રહે છે, મુખ્ય માર્ગ હોવાથી રાત-દિવસ ધમધમતો હોય છે, ખાસ કરીને રાતે મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરતા હોય છે, હજુ સુધી અંધારાનો લાભ લઈ કોઈ એવો બનાવ બન્યો નથી, પરંતુ લોકોની સેફટી માટે તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય એમાં જ લોકોનું હિત સમાયેલ છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા થોડાક વર્ષો પહેલા વીજળી બચત અભિયાનના ઓઠા હેઠળ સમગ્ર શહેરની ચાલુ સ્ટ્રીટ લાઈટો, સોડીયમ લાઈટો રાતોરાત ઉતારી નાખવામાં આવી તે સ્ટ્રીટ લાઈટો, સોડીયમો ક્યાં પગ કરી ગઈ તે આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું નથી તેની જગ્યાએ ઓછો પ્રકાશ ફેલાવતી એલઈડી લાઈટો નાખવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...