Friday, November 28, 2025

હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી

spot_img
Share

કેદારનાથ : ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે 25 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન બાબા કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ ખાસ અવસરે મંદિર પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.

મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની મધૂર ધૂન સાથે ભગવાન કેદારનાથના કપાટ સવારે 6.20 વાગે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગતગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ કપાટ ખોલ્યા. આ અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યા હતા.મંદિરના કપાટ ખુલ્યા બાદ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં દર્શન કર્યા.

આ બાજૂ મંદિર કપાટ ખુલવાની પૂર્વ સંધ્યા પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સોમવારે સાંજે ગુપ્તકાશી પહોંચ્યા અને યાત્રા વ્યવસ્થાની જાણકારી લીધી. ધામીએ કહ્યું કે, રાજ્યમાં ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, દેવોની કૃપાથી આ વખતે યાત્રામાં ગત વર્ષની અપેક્ષાએ શ્રદ્ધાળુઓ વધારે આવશે અને ચારધામના દર્શન કરી પુણ્યના ભાગી બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...