16.7 C
Gujarat
Saturday, January 25, 2025

હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી

Share

કેદારનાથ : ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે 25 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન બાબા કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ ખાસ અવસરે મંદિર પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.

મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની મધૂર ધૂન સાથે ભગવાન કેદારનાથના કપાટ સવારે 6.20 વાગે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગતગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ કપાટ ખોલ્યા. આ અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યા હતા.મંદિરના કપાટ ખુલ્યા બાદ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં દર્શન કર્યા.

આ બાજૂ મંદિર કપાટ ખુલવાની પૂર્વ સંધ્યા પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સોમવારે સાંજે ગુપ્તકાશી પહોંચ્યા અને યાત્રા વ્યવસ્થાની જાણકારી લીધી. ધામીએ કહ્યું કે, રાજ્યમાં ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, દેવોની કૃપાથી આ વખતે યાત્રામાં ગત વર્ષની અપેક્ષાએ શ્રદ્ધાળુઓ વધારે આવશે અને ચારધામના દર્શન કરી પુણ્યના ભાગી બનશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles