Thursday, March 5, 2026

નવા વાડજના ગોપી ઉદ્યોગ ચવાણા કેન્દ્ર સહિત 12 એકમ સીલ માર્યા, AMCના આરોગ્ય વિભાગનો સપાટો

spot_img
Share

અમદાવાદ : AMCના આરોગ્ય વિભાગના અધિકારીઓએ અમદાવાદમાં આવેલી ખાણી-પીણીના એકમો પર દરોડા પાડ્યા હતા. જે એકમો લાયસન્સ વગર અથવા તેઓ રજિસ્ટ્રેશન કર્યા વગર ધંધો કરતા હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. AMCના હેલ્થ વિભાગનાં ડેઝિગ્નેટેડ ઓફિસર ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ખાદ્ય ધંધાકીય એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

AMC ની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા અમદાવાદના ઠક્કરનગરના દેવર્સ ફુડ્સ, શક્તિ ધ સેન્ડવીચ લાયસન્સ વગર ધંધો કરતું હોવાનું સામે આવતાં સીલ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઈન્દ્રપુરી વોર્ડમાં શક્તિ પરોઠા હાઉસ, સેટેલાઈટમાં જય આશાપુરા ટી એન્ડ ફાસ્ટ ફૂડને સીલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નવરંગપુરાનું સ્વામિનારાયણ ડાયનિંગ હોલ, નવરંગપુરાનું ચાઈ-સુટ્ટા બાર, નવરંગપુરાના ડી મિસ્ટીરિયલ કિચન, નારણપુરાની લક્ષ્મી પાણીપુરી, દરિયાપુરની મારુતિનંદનને સીલ મારવામાં આવ્યું છે.

આ ઉપરાંત જોધપુર સ્વીટ એન્ડ નમકીન, નવા વાડજ વિસ્તારનું ગોપી ઉદ્યોગ ચવાણા કેન્દ્ર, શાહપુર વોર્ડમાં સદાબહાર નમકીન હાઉસ, આસ્ટોડિયા દરવાજા પાસે આસ્ટોડિયા અડદની જલેબી-દાળવડાં, નારણપુરાના સરદાર પટેલ શોપિંગ સેન્ટર પર યાર મેરા કુલ્લડને સિલ કરવામાં આવ્યું છે.આ તમામ પાસે લાયસન્સ નહોતું અથવા તેઓ રજિસ્ટ્રર કર્યા વગર ધંધો કરતા હોવાથી સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક સ્થળ પર હાઈજેનિક કન્ડિશન સારી ન હોવી અને વીતી ગયેલી તારીખનો માલ રાખતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઉપરાંત અલગ અલગ વોર્ડમાં બરફ, ગોલા, શેરડીનો રસ, મેંગો મિલ્ક શેક, પાણીપુરી વાળી જગ્યાઓ, હોટલ અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર અથવા રજિસ્ટ્રેશન કર્યા વગર ધંધા કરતા એકમો સીલ કરીને અથવા બંધ કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...